SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછવાદ ગણાવી શકાય. તે જે કે લોકોના વ્યકિતગત ભૌતિક સુખ સાધને અંગે આંશિક રૂપે બાંહેધરી આપે છે; પણ ઊંડાણથી જેવા જતાં તે સામૂહિક સરમુખત્યારશાહી છે અને જીવનને સુધારવાની તેની હિંસક પ્રણાલિકા માનવજાતિ માટે તદ્દન અનિચ્છનીય છે, શ્રેષ્ઠ વ્યકિતત્વનો એ માર્ગ નથી, કારણ કે માણસને સુખી કરવાના નામે સામૂહિક રીતે જે સામ્યવાદી સરમુખત્યારશાહી ચાલે છે તેમાં વ્યકિત સ્વાતંત્ર્ય જેવી કોઈ ચીજ નથી. એને ઘણા દાખલાએ રશિયા, હંગેરી અને ચીનમાંથી મળી શકશે. જ્યાં સામૂહિક રૂપે પિતાના જ બાંધવાની વિરોધી વિચારના કારણે ભયંકર અને નૃસિંશ હત્યા કરવામાં આવી છે. કેવળ થોડા વિરોધી વિચારના કારણે રાશયાના એક વખતના મહાન નેતાઓને પદભ્રષ્ટ કરવાની સાથે તેમના ઉપર એવી શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી જેના કારણે તેમનું મગજ શૂન્યતા અનુભવે. વ્યક્તિગત પ્રતિશે ધન જમ્બર દાખલે તે સ્ટાલિનના મડદાને કબરમાંથી કાઢીને બીજે નાખવાના પ્રસંગથી મળી શકે છે. માણસના મરણ બાદ તેની સાથે કોઈ વેર – વિરોધ ન હોઈ શકે, પણ એ માણસાઈથી પર સામ્યવાદ જઈ શકે છે, એ તાજો દાખલો છે. હંગેરીમાં જે કંઈ બની ગયું તે ભૂલાય તેવું નથી. અને ચીનમાં મૂડીવાદીઓની સામૂહિક હત્યા અને હમણું હમણું ટિબેટમાં લામાઓ સાથે જે અમાનુષી વર્તાવ તેમજ ખૂશ સતા વર્તાવવામાં આવી તેના ઉપરથી ભાગ્યે જ એમ માની શકાય કે સામ્યવાદ માનવ-જીવનના શ્રેષ્ઠ વ્યકિતત્વને ઉપસવા દે તે ઉપરાંત પૂછવાદના કારણે માનવ માનવ વચ્ચે અનમાનતા આવે છે તેમ સામ્યવાદને જન્મ વેર-વિરોધમાંથી થયે હોઈને ત્યાં સામૂહિક રૂપે સત્તાશાહી પિપાય છે અને સ્વતંત્રતા રૂંધાય છે. આ સામ્યવાદને પણ પિતાના વિનાશને એટલો જ ડર છે એટલે પૂછવાદને છે. આવા બે વાદની વચ્ચે સાધુસંસ્થા માનવના સ્વતંત્ર વિકાસ માટે આશાનું કિરણ સમાન છે. આજના રાજકારણના યુગમાં જે કે એનું પ્રભુત્વ ઘટી ગયું છે; પણ શ્રેષ્ઠ વ્યક્તિત્વ માટેની માણસની અખંડ સંશોધન વૃત્તિને ત્યાં જ સિદ્ધિ મળશે એ નિઃશંક છે. આવી સાધુસંસ્થા ઉપર પૂછવાદી રાજકારણના વર્ચસ્વને સતત ભય રહે છે, એટલું જ નહીં, ઘણીવાર તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034806
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy