SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ એની ટીકામાં પડી ગયા. પિતાની શ્રેષ્ઠતા, શ્રેષ્ઠ વ્યકિતત્વના આચરણના બદલે અનુયાયીઓની સંખ્યા તરફ જેવા લાગ્યા, જ્ઞાનચારિત્ર્ય અને દર્શનના શ્રેષ્ઠ દબદબાને બદલે ભૌતિક દબદબો વધારવામાં પડી ગયા. પરિણામે શ્રેષ્ઠ વ્યકિતત્વના અખંડ સંશોધન માટે જે સાધુસંસ્થા હતી; તે જ આજે સંશોધન માગનારી સંસ્થા થઈ. એટલે આજે શ્રેષ્ઠ વ્યક્તિત્વના સંશોધન અને સિદ્ધિ માટે કેવળ સાધુ-સંસ્થા જ એકલી રહી નથી પણ તેની સામે બે બીજા મોટા વાદે પણ ઊભા થયા છે. એક પૂછવાદ અને બીજો સામ્યવાદ. મહાભારતના યુદ્ધ પછી જગતની સામે વિનાશની ખરેખરી કટોકટી માનવસમાજ ઉપર આજના યુગે તળાઈ રહી છે. મહાભારતમાં ભયંકરમાં ભયંકર શસ્ત્રો વપરાયાં અને સહુથી ભીષણ માનવ સંહાર સર્જાયો હતો. આજે એનાથી પણ ભયંકર શસ્ત્રોનું નિર્માણ એટલા માટે જગતમાં થઈ રહ્યું છે કે પૂછવાદ અને સામ્યવાદ બન્નેને એક બીજાથી, પિતાના વિનાશનો મહાન ભય લાગી રહ્યો છે. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે બન્ને વાદો એમ માને છે કે તેમને જે રસ્તો છે તે જ સાચે છે અને જગતને સુખી કરવા માટે છે. તેમજ એનાથી જ શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રગટાવી શકાય છે. પૂછવાદ માટે તે એટલું કહી શકાય કે તે ગમે તેટલા ભૌતિક સુખો આપવાની બાંહેધરી આપે પણ શ્રેષ્ઠ વ્યકિતત્વની પ્રાપ્તિ તેનાથી થઈ શકતી નથી, કારણ કે તે વ્યક્તિ – વ્યકિત વચ્ચે એક એવી ભીંત ઊભી કરે છે જેમાં વેર – વિરોધ ચાલુ જ રહેવાને; તે ઉપરાંત ભૌતિક સુખથી આત્મીય સુખ કદી મળ્યું નથી, એ મહાભારતથી લઈને સિકંદર અને ત્યાર પછીને માનવજાતિને ઈતિહાસ કહી શકે છે. તે ઉપરાંત પૂછવાદના વેર વિરોધના કારણે પૂછવાદી એવા સતત ભયમાં જીવે છે, તેને ખ્યાલ તે, નાના માણસને ચોરી ન થાય તે માટે સુરક્ષાને, એનાથી વધારે વાળાને કોઈ લૂંટી ન જાય, મારી ન નાખે; તે માટે રક્ષકોને અને આખા પૂછવાદને પિતાના રક્ષણ માટે અ બને આશરો લેવો પડે છે, તે છતાં ભયભીત થઈને રહેવું પડે છે; તેના ઉપરથી આવી શકશે. ત્યારે સામ્યવાદને પણ એક રીતે વ્યકિતગત નહીં પણ સમૂહગત છે કે બને વારસાન ભય લાગીને સામ્યવાદ કોણ એટલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034806
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy