________________
ધર્મબોધ ગ્રંથમાળા : ૬૮ :
સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત. સ્થલ મૃષાવાદવિરમણવ્રત એટલે ગ્લ મૃષાવાદને ત્યાગ. તે નીચેની રીતે કરવામાં આવે છે.
(૧) કન્યા કે વર સંબંધી ખેટું બોલી કેઈને છેતરવા નહિ. (૨) ગાય, ભેંસ વગેરે જાનવર સંબંધી બેટું બેલી
કેઈને છેતરવા નહિ. (૩) જમીન, ખેતર વગેરે સંબંધી ખેડું બેલી કેઈને
છેતરવા નહિ. (૪) કેઈની થાપણ એળવવી નહિ. (૫) કોર્ટ-કચેરીમાં બેટી સાક્ષી પૂરવી નહિ.
સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત. સ્થલ અદત્તાદાન વિરમણવ્રત એટલે સ્થલ ચેરીને ત્યાગ, તે નીચેની રીતે કરવામાં આવે છે.
(૧) ખાતર પાડવું નહિ. (૨) ગાંઠ છોડીને કે પેટી-પટા ઉઘાડીને કોઈની વસ્તુ
કાઢી લેવી નહિ. (૩) ધાડ પાડવી નહિ. (૪) તાળા પર કુંચી કરીને એટલે તાળાં ઉઘાડીને
કેઈની વસ્તુ કાઢી લેવી નહિ. (૫) પરાઈ વસ્તુને પિતાની કરી લેવી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com