SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું : ચારિત્રવિચાર બનાવવાં પડે, કૂવા તથા વાવ-તળાવે ખેદાવવાં પડે, કેટકિલ્લા ચણવવા પડે, એમ કેટલાંક આરંભના કામે અવશ્ય કરવાં પડે, તેમાં નિરપરાધી ત્રસ જીની દયા પાળી શકે નહિ એટલે તેનાથી એટલું જ બની શકે કે નિરપરાધી ત્રસ જીવોની સંક૯૫પૂર્વકઈરાદાપૂર્વક-જાણી જોઈને હિંસા કરવી નહિ. વળી નિરપરાધી ત્રસ જીને સંકલ્પિત આરંભના પ્રોજન સિવાય પણ તાલીમ આપવા વગેરેના હેતુથી મારફ ડ વગેરે કરવી પડે છે. જો તેમ ન કરે તે જાનવર કેળવાય નહિ તથા પુત્ર-પુત્રીઓ સરખાં ચાલે નહિ કે યોગ્ય રીતે કેળવાય નહિ. એટલે સાપેક્ષપણે વધ–બંધનાદિ કરવાની છૂટ રાખવી પડે છે. આ રીતે ગૃહસ્થ વીસ વસા દયામાંથી સવા વસે દયા પાળી શકે છે. સવા વસાની ગણતરી નીચે મુજબ થાય છે. ત્રસ અને સ્થાવરની સંપૂર્ણ દયા તે ર૦ વસા. તેમાંથી સ્થાવરની દયા બાદ થઈ એટલે ૧૦ વસા બાકી રહ્યા. ત્રસની દયામાં નિરપરાધી ત્રસની દયા અને સાપરાધી ત્રસની દયા. તેમાંથી સાપરાધી ત્રસની દયા બાદ થઈ એટલે ૫ વસા બાકી રહ્યાં. નિરપરાધી ત્રસ જીવોની હિંસા પ્રજનપૂર્વક અને નિષ્પોજન એમ બે રીતે થાય, તેમાંથી પ્રજનપૂર્વકની હિંસા ટળી શકે નહિ એટલે રા વસા બાકી રહ્યા. તેમાં પણ નિરપેક્ષ હિંસા ટળી શકે પણ સાપેક્ષ હિંસા ટળી શકે નહિ. એટલે બાકી રહ્યો વસા અહિંસા સર્વ વ્રતમાં મુખ્ય છે, એટલે તેના પાલનમાં પૂરેપૂરું લક્ષ્ય રાખવું ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy