________________
ધમધ-ચંથમાળા
: ૬૨ :
પણ વસ્તુને બીજા દિવસને માટે સંગ્રહ કરી શકાય નહિ, એવું જે છઠું વ્રત તે પણ અતિ કઠિન છે.
સંયમ જીવન, દારુણ કેશકુંચન અને દુષ્કર બ્રહ્મચર્યપાલન આ બધું શક્તિવાળાને પણ કઠિન થાય છે.
હે પુત્ર! તું સુકમળ અને સુમજિજત (ભેગમાં ડૂબેલે) છે અને ભોગસુખને યોગ્ય છે, તેથી સાધુપણું પાળવાને સમર્થ નથી.
વેળુને કેળિયે જેટલે નિરસ છે, એટલે જ સંયમ (ચારિત્ર) પણ નિરસ છે. તલવારની ધાર પર ચાલવાનું જેટલું કઠિન છે, તેટલું જ તપશ્ચર્યાના માર્ગમાં પ્રયાણ કરવાનું કઠિન છે. - જેમ બળતી અગ્નિની ઝાળ પીવી દેહલી છે, તેમ કરુણ વયમાં સાધુપણું પાળવું દુષ્કર છે, માટે હે પુત્ર! તું શબ્દ, રૂ૫, રસ, ગંધ અને સ્પેશ એ પાંચે વિષયના મનુષ્ય સંબંધી ભેગેને ભેગવ અને ભુક્તભેગી થઈને પછી ચારિત્રધર્મને ખુશીથી સ્વીકારજે.”
માતાપિતાનાં આવાં વચન સાંભળીને મૃગાપુત્રે કહ્યું: “હે માતાપિતા ! આપે કહ્યું તે સત્ય છે પરંતુ નિઃસ્પૃહીને આ લેકમાં કશુંય અશક્ય નથી. વળી આ સંસારચક્રમાં દુઃખ અને ભય ઉપજાવનારી શારીરિક અને માનસિક વેદનાઓ હું અનંતી વાર સહન કરી ચૂક્યો છું માટે મને પ્રવજ્યા લેવાની રજા આપો.”
આ સાંભળી માતાપિતાએ કહ્યું: “હે પુત્ર! તારી ઈચ્છા હોય તે ભલે દીક્ષિત થા, પરંતુ ચારિત્ર ધર્મમાં દુઃખ પડશે પ્રતિક્રિયા (દુઃખને હટાવવાને ઉપાય) નહિ થાય.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com