________________
નવમું :
': ૩૦ :
ચારિત્રવિચાર
જીવ જ્યારે આ અઠ્ઠાવીશ પ્રકારના ભાવમાં ભ્રમણ ન કરે ત્યારે “મહવને નવિ ભમતે કહેવાય છે. (૧૭) સ્વભાવ.
જે સ્વભાવ નથી તે પરભાવ છે અને પરભાવ નથી તે સ્વભાવ છે. આ દષ્ટિએ આત્માનું સ્વરૂપ સ્વભાવ કહેવાય છે અને પુદ્ગલનું સ્વરૂપ પરભાવ કહેવાય છે.
આત્મા અનેક ગુણોથી અલંકૃત છે, પણ મુખ્યત્વે જ્ઞાન અને સુખનાં કે ચિત્ અને આનંદનાં લક્ષણોથી યુક્ત છે, એટલે ચિદાનંદ-સ્વરૂપ કહેવાય છે. આ ચિદાનંદ-સ્વરૂપમાં મગ્ન થવું અને કઈ પણ પૌગલિક ભાવેને સ્પર્શ થવા ન દેવે એ “સ્વભાવ સ્થિતિ “નિજાનંદની મસ્તી” “સહજાનંદનું સુખ” “આત્મરમણતા” કે “મન્નતા” કહેવાય છે.
આ અવસ્થાનું વર્ણન કરતાં અનુભવી પુરુષોએ જણાવ્યું
જેને જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર જેવા પરબ્રહ્મ(આત્મા)માં મગ્નપણું છે, તેને પરમાત્મા સિવાય બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવી હળાહળ ઝેર જેવી લાગે છે.
જે આત્મસુખમાં મગ્ન છે અને સ્યાદ્વાદથી શુદ્ધ થયેલી દષ્ટિવડે જગના તમામ તનું અવલોકન કરે છે, તેને અન્ય ભાનું કર્તાપણું રહેતું નથી, પણ માત્ર સાક્ષીપણું જ રહે છે.
પરબ્રહ્મમાં મગ્ન થયેલાને પુદ્ગલની વાતે નિરસ લાગે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com