SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૫) એટલે એમ કરવાથી જે ફળ થવું જોઈએ તે નથી થયું. ઉલટું વાણિયાઓમાં તો પ્રતિબંધ સપ્ત સપ્ત થતા ગયા. નીમા, પરવાળ ને શ્રીમાળી વણિયામાં જન અને વૈષ્ણવ એવા બે ધર્મ છે, તેમ છતાં ધમને બાધ ન ગણતાં જૈન, મેથીમાં કન્યા આપતા અને મેથી, જૈનમાં કન્યા આપતા, એટલું જ નહિ પણ પિરવાડ, શ્રીમાલીમાં તથા શ્રીમાલી, પિોરવાડમાં કન્યા આપતા લેતા હતા. દહાડે દહાડે આ લાભકારી વ્યવહાર બંધ થતા જાય છે. ને હવે મેશ્રી, જનમાં કે જન, મેશ્રીમાં કન્યા આપતા લેતા બંધ પડી ગયા છે. એ પ્રમાણે આ બીજો ઉપાય તે ખરેખરો ઉપાય નહતો. માત્ર અગત્યને લીધે એક પગલું ભરાયું ને વળી પાછું પાછા હઠવા ઉપર નજર રહી. એમ થવાનું કારણ કે ભાણ વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર કરવાને બાધ નથી એવી ખરી સ. મજથી એ ઉપાય લેવામાં આવ્યો નરોને, ને વળી નાતને દેર તે હતો જ; એટલે આ ઉપાયથી પણ કંઈ ઝાઝું ફળ થયું નથી એમ આપણે જોઈએ છીએ. ત્રીજે ઉપાય એ થશે કે કેટલીક વાતોમાં કન્યાની ઘણી અને છતને લીધે કુંવારા રહેલા કાયર કાયર થઈ ગયા હતા. એટલામાં સુધારાને મુંડે ઉપડયોને વિધવા વિવાહ કરવાને બંધ થવા માંડે, એટલે દુઃખથી દબાઈ ગયેલી કેટલીક વિધવાઓમાં નવી આશા ઉત્પન થઈ ને નવી હિમ્મત આવી. આવી વિધવાઓ અને દુઃખથી કાયર થયેલા કુંવારાઓએ હિમ્મત ધરી પુનર્લગ્ન કર્યો. પરંતુ ઉચી વણેમાં જે જે સુધારા કરવાના યત્ન થયા છે, તેમાં વિધવા વિવાહને સુધારે . લોકોના મોટા ભાગને ઘણો અણગમો હતો, એટલે આવાં લન કરનારને તે ન્યાત બહાર મુકવામાં આવતા રે આવતા, પરંતુ તેમના ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034779
Book TitleBhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Motilal
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1893
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy