SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૮) ખરી અંતઃસ્થિતિ માલમ નથી તેઓ એ કહેવું સાંભળશે ને વખતે ભુલ થાપ પણ ખાશે ! પરંતુ જેઓને એ બાબતની ખરેખરી માહિતી છે તેઓ કેમ છેતરાશે ! આ કેવી જાતનું સ્વદેશાભિમાન ! શું ખરાને ખરું ન કહેવામાં સ્વદેશાભિમાન રહ્યું છે? શું દુઃખ છતાં સુખને મિધ્યા ગર્વ કરવામાં સ્વદેશાભિમાન રહ્યું છે? ને શું કાળાને કાળું ક. હેવાથી કે ચિતરવાથી સ્વદેશાભિમાન તુટે છે ? જો એમ હોય તો એ કંઈ વિચિત્ર સમજ છે! જેમની એવી સમજ હેય તેમને તે મુબારક છે ! ઈશ્વર અમને એ સમજ ન આપે ! વિધવાઓ અસંતોષ જણાવતી નથી એમ કહેનારા એમ કહેવાથી શું સમજતા હશે તેની કલ્પના અમારાથી થઈ શકતી નથી. એક માણસને પ્રથમ આપણે બોબડે બનાવીએ, એટલું જ નહિ પણ બેબડે બેબડેય સાનથી કે ઇસારાથી કંઈ માગે માટે તેમ કરતાં અટકાવવાને તેના માથા ઉપર ઉઘાડી તરવારવાળો માણસ ઉભો રાખીએ, ને કહીએ કે જે બે ચાલ્યો કે સાન, ઈસારત સરખી પણ કરી તે આ તરવાર ને તારું ગળું ! એવી સ્થિતિવાળે માણસ શું કંઈ બોલશે કે કંઈ માગશે, કે ચૂં કે ચાં પણ કરી શકશે ? કદિ નહિ. તે જ પ્રમાણે આપણું દેશની સ્ત્રીઓની અને વિશેષ કરીને વિધવા સ્ત્રીઓની સ્થિતિ છે. એમને અજ્ઞાનને અને ભણ રાખીને તથા શકનું કર્તવ્ય તેજ તેમનું કર્તવ્ય એમઠરાવીને આપણે તે તેમને શ્રદ્ધવત્ ને બબડી કરી નાખી છે, એટલું જ નહિ પણ માથે નાતના અંકુશની મોટી ભયંકર ને ઘણું પાણીવાળી તરવારે એક બાજુએ નહિ પણ બધી બાજુએ ફરતી ખડી કરી દીધી છે. આવી સ્થિતિમાં તેમને મુંગા મુંગાં અસહ્ય વેદના સહન કરતાં જોઈએ તેમાં કંઈ નવાઈ નહિ ! તેઓ શી રીતે બેલે તેમને જીભ આપ ને ગેરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034779
Book TitleBhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Motilal
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1893
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy