SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ટલે અટકતું નથી. એમાંના એકાદ એકડામાં ૮ટે પડે ને તડ પડે તો પાછી એ એકની બે નાતો થઈ એમ પણ બન્યું છે, ને બનતું જાય છે ! આવા એકડા કે ગોળ ઘણી નાતમાં બંધાયા છે, જેમાં નથી તેમાં દહાડે દહાડે બંધાતા જાય છે. બ્રાહ્મણ, વાણિયા અને અન્ય વર્ણમાં એટલે તમામ નાતના જુદા જુદા એકડા થઈ કડકા થયા છે ને થતા જાય છે ને નાતોની સંખ્યા સુમાર વિનાની વચ્ચે જ જાય છે. આ હાનિકારક પદ્ધતિની શરૂઆત ફક્ત આસરે સોએક વર્ષથી થએલી છે, એમ લાગે છે, કેમકે એવી નાતેમાં ગામડાની પ્રથમની શહેરમાં આપેલી છેડીઓ અથવા ગામડાના લોકોની શહેરના લોકો સાથેની બેન ભાણેજાની સગાઈ હજી પણ જોવામાં આવે છે. હવે આપણને હાલની વર્ણવ્યવસ્થા શાં શાં કારણેથી બંધાઈ તેનું કંઈક ભાન થાય છે; ને ના ઘડાવાને વિલાયતી સ સતત્ ચાલુ છે એમ પણ સમજાય છેઆપણે એ પણ જોયું કે નાતાના જુદા જૂદા ભેદને અને ધર્મને કંઇ જ સંબંધ નથી! જે કારણોથી આવી વર્ણવ્યવસ્થા બંધાઈ છે તે કારણે હાલ રહ્યાં નથી. હાલ રાજનીતિને જુલમ નથી, હાલ પરદેશના વ્યવહારની સ્વમામાં પણ ન આવે એટલી બધી અનુકુળતા થઈ છે, હાલ શહેરના અને ગામડાના લોકોના આચાર વિચાર બદલાઈ ગયા છે, હાલ સમયાનુસાર લોકોના ધંધા પણું બદલાતા જાય છે, એટલે હવે ક્યાં સબળ કારણે ઉપર ભેદને આધાર આપણે રાખી શકીએ એમ છે? બહુ તે માત્ર ધર્મનું કારણ હજી રહ્યું છે એમ ગણું શકાય; એ શિ. વાયનાં તમામ કારણે નાબુદ થયાં છે; એટલું જ નહિ પણ હવે પાછાં નવાં નવાં કારણો ઉત્પન્ન થતાં જાય છે, તેમાંનું એક તો એ કે કેળવણીને પ્રસાર કંઈ નાતવાર કે શહેરવાર થતો નથી. શહેર કે ગાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034779
Book TitleBhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Motilal
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1893
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy