________________
(૦૩) ભોજન વ્યવહાર –પૃથ્વીના પડ પર હિંદુ પ્રજા શિવાય બીજી કોઈ પણ પ્રજામાં ભેજન વ્યવહારના ભેદ નથી. હિંદુઓમાં જેમ બ્રાહ્મણ, કઈ વાણિયાનું રાંધેલું ખાય કે તેની ગોળીનું પાણી પીએ તે વટલાય છે, તેમ બીજી કોઈપણ પ્રજામાં એક મનુષ્ય બીજા મનુષ્યનું રાંધેલું ખાતાં કે તેની ગોળીનું પાણી પીતાં વટલાતો નથી. દરેક પ્રજામાં કોઈ કોઈનું ખાવાને કશે પ્રતિબંધ નથી, એટલું જ નહિ, પણ તેઓ બીજી પ્રજાઓનું પણ ખાતાં વટલાતા નથી. એક ઇગ્રેજ ગમે તો ગમે તે બીજા અંગ્રેજનું ખાય કે ગમે તે કેન્સ, જર્મન, મુસલમાન, હિંદુ, પારસી કે હરકેઈ પ્રજાનું ખાય, પણ તે વટલાતો નથી. તેમજ કેચ, જર્મન, અમેરિકન આદિ હરકોઈ પ્રજા અંદર અંદર એક બીજાનું ખાતાં તે વટલાતા નથી જ; પરંતુ બીજી કોઈ પણ પ્રજાઓનું ખાતાંય વટલાતા નથી. કોઈ પણ પ્રજાના લોકોને મેળો હોય તો તે બધાય એક રસોડે જમી શકે, પરંતુ હિંદુઓને મેળાવડે હોય તે વખતે બાર ભૈયજી અને તેર ચેકાવાળો ઘાટ થાય, ત્યારે છુટકો થાય. આ કેટલી બધી અગવડતા ! ખાધાથી કે પાણી પીવાથી વટલાવાય એ વિચાર માત્ર હિંદુ પ્રજામાં જ છે, બીજી કોઈ પ્રજામાં નથી. એ વાત ખરી છે કે બીજી પ્રજાઓમાં પણ ઊંચ નીચના ભેદને લીધે એકાદ ઊંચે ગણત માણસ પિતાનાથી ઉતરતી પંક્તિના ગણાતા માણસ સાથે બેસી જમ નથી, તેની જોડે બેસી જમવામાં હલકાઈ માને છે, ને અભિમાનને લીધે તેની સાથે જમવાને વ્યવહાર પણ રાખતા નથી, પરંતુ જે કદાપિ તે પોતાનાથી હલકા ગણાતા માણસનું ખાય કે પાણી પીએ તે તેથી તે વટલાતો નથી, અથવા તે અપરાધને માટે તેને કોઈ નાતબહાર મુકતું નથી, કે તે પતિત થતો નથી, પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com