SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ સ. ના પાંચમા સકામાં દત્તાત્રય પંથની સ્થાપના કરી છુટા પડે હતો. મહાત્મા દત્તાત્રય પરમ બ્રહ્મનિષ્ટ યોગી હતા અને તેમને જન્મ વતાયુગમાં ચરિત્રષિની પત્નિ મહાસતિ અનુસુયાને પેટે થયો હતો. તમારે છ શાયનું અધ્યયન કરી તેમાંના સિદ્ધાંતોનું સત્ય તપાસ્યું હતું. યોગક્રિયાઓમાં તેમણે અનેક શોધ કરી હતી, અને સહાર્જન વિગેરેને તેમણે બ્રહ્મવિઘાને ઉપદેશ આપ્યો હતો. માયાથી વિરક્ત થવા સારૂ તેમણે પોતાની બુદ્ધિથી સ્વિકારેલા ૨૮ ગુરૂ કરી તેમના ગુણ રહણ કર્યા હતા અને દેવોને ત્યાગ કર્યો હતો. એજ જ્ઞાન તેમણે ગોદાવરી તટે યદુરાજાને સમજાવ્યું હતું. આવા પરમજ્ઞાની સમર્થ મહાભાનો ઉપદેશ ો તે હોય જ નહિ. અને તેથી તેમના ઉપદેશનેજ પ્રમાણ માની આ મતની સ્થાપના કરી તે યોગ્ય જ હતું. ગુરુ દત્તાત્રેયે બ્રાહ્મણ, ક્ષત્રી અને વિશ્ય જ્ઞાતિના પુરૂષોને બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, સંન્યાસ, પરમહંસ, યોગી, મૂનિ અને સાધુ કરવાની આજ્ઞા આપી છે. આ પંથવાળા પિતાના આત્માને ઈશ્વરરૂપ સર્વજ્ઞ માને છે, તેને મૂર્તિમાન સમજ અખંડ સમાધિમાં રહેવા સાફ અષ્ટાંગયોગની સર્વ ક્રિયાઓ કરે છે અને અહિંસક, જીવદયા પાળવી એ તેમનું મુખ્ય વલણ છે. તેઓ ગુજરણા માને છે અને સત્ય શાસ્ત્રનું અદયયન કરી મોક્ષ સાધનમાં કાળક્ષેપ કરે છે. એ ધર્મના મુખ્ય સિદ્ધાંત “ઈશ્વર નિરાકાર છે, સર્વ સૃષ્ટિ આત્માની શાંતિથી કપીન ભારે થઈ છે. પ્રકૃત્તિના સર્વ ધર્મનો તિરસ્કાર કરવા, નિવૃત્તિરૂપ ગંગામાં નિમગ્ન થવું. અકૃત્ય અને અચિત્ય ભાવ એ જ્ઞાનીઓને સ્વભાવ છે. સત્ય, તપ, અપરિગ્રહ, દયા, ક્ષમા, ધર્મ, અર્થ, મોણ અને વૈરાગ્ય એ સર્વ સંપાદન કરવાં. માદક પદાર્થોથી દુર રહેવું.” વિગેરે વિગેરે જ્ઞાનમાર્ગ બાધક છે. પરંતુ પાછનથી તેને પણ પુરાણના છાંટા લાગ્યા છે. અને યોગસાન ન સમજવાથી મૂર્તિપુજા ચાલુ થઈ છે એટલું જ નહિ પણ મળમાંસને પણ ૧. પાશ્વ, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હેલ, અજગર, સમુદ્ર, પતગીત, મર, હાથી, પારધી, હરણ, માછલ્લાં, પિંગલા, મી, બા . કુમારીકન્યા, બાબુ બનાવનાર, સર્ષ, કળીઓ અને ભમરી એ ચાવીરના સ્વાભાવિક ગુણોનું અવલોકન કરી તેમના સારા સારા ગુણે ગ્રહણ કર્યા હતા. માટે તે ૨૪ ને તેઓ ગુરૂ માનતા. . ૨. કોઠાપુર સ્ટેટમાં આવેલા ગંદાવરી તટે નરબાની વાવમાં તેમનું મંદિર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy