SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ • રિક કથાનક ઉભું કર્યું હોવું જોઈએ, અને તેમ થયા પછી પુરાણમાં તે હકીક્ત ધુસી જવા પામી હશે. () શ્રીકૃષ્ણચંદ્ર ઉચ્ચ નીચને ભેદ ન રાખતાં સર્વ સાથે સમાનભાવથી વ તંતા હતા, તે બતાવવા રીંછની ઉછરેલી જાંબુવંતી અને કુબજા નામની કદરૂપી દાસી સાથે રહ્યા હતા એવું વર્ણન કરેલું છે. (5) પરમાત્મા નિરાકાર છે અને તેને કાંઈ રૂપરંગ નથી, માટે જ તેમને કાળા રંગના કલખ્યા છે; કારણ કે કાળે કઇ રંગ નથી, પણ રંગના અભાવે જે દેખાય છે તેને કાળો રંગ કહેવામાં આવે છે. (2) શ્રી કૃષ્ણને ૧૬૧૦૮ સ્ત્રીઓ હતી એવું પુરાણોમાં લખેલું છે. પુરાણના સ્થલ શબદોને અંધશ્રદ્ધાએ વળગી રહેનારાઓ તો આ વાત સત્ય માને છે. પરંતુ મહાભારત વિગેરેથી ફકત તેમને એકજ -રૂક્ષ્માણિ-હતી એવું માલુમ પડે છે. કેટલાએક કહે છે કે શરીરની ૧૬૧૦૮ નાડીઓ છે તે ઉપર કાબુ રાખવાથી અર્થાત શ્રી કૃષ્ણ જીતેન્દ્રિય હોવાનું જણાવવા માટે અલકાર આપી નાડીઓને બદલે નારીએ લખી હશે, પણ એ વાત સત્ય જણાતી નથી. કારણ કે શરીરમાં નાડીઓ ૯૯૯ હવાનું પ્રસિદ્ધ છે. કેટલાએક કહે છે કે રૂદની ૧૬૧૦૮ બચાઓ છે તે તેમના કંઠાગ્રે હોવાથી અર્થાત તેમાંજ કૃષ્ણનું હદય રમણ કરતું હોવાથી તે બચાઓને અલંકારી ભાષામાં નારીએ લખી છે, પણ એ વાત પણ સત્ય જણાતી નથી. કારણ કે ત્રગ્ધદની બચાએ ૧૦૫૮૦ છે. કેટલાએકનું એવું માનવું છે કે કૃષ્ણને વિષ્ણુને અવતાર પુરાણકારોએ ઠરાવેલા છે અને વેદમાં સૂર્યને વિષ્ણુ કહેલ છે તેથી ૧૬૧૦૮ તારાગ્રહ જે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે તેને અલંકારિ ભાષામાં નારીએ જણાવેલી છે. તે સમયમાં ૧૬૧૦૮ તારાગ્રહ મુખ્ય ગણતા હતા માટે તેમ બન્યું હશે. સહુથી છેલ્લા મત બીજા બધા મત કરતાં વાસ્તવિક જણાય છે. ( શ્રીકૃષ્ણ અમુક બીજના ચંદ્રનાં દર્શન કર્યા નહિ અને થના ચંદ્રનાં દર્શન . . કર્યા તેથી અમુક અમુક આફત તેમના ઉપર આવી પડી હતી એવું વર્ણન પણ જોવામાં આવે છે. મુસલમાન રાજ્ય અમલમાં બીજના ચંદ્રનાં દર્શન કરવાનો રિવાજ મુસલમાનોને દેખાદેખી હિંદુઓમાં પશુ દાખલ થવા પામ્યો હતો. અને તેથી તેને પ્રસ્ત્રને આધાર આપવા માટે કેઈ કવિરાજે કલ્પનાને ઘેડ દોડાવી શ્રી કૃષ્ણના નામ સાથે આખું કથાનક બનાવી પુરાણમાં ગોઠવવાનું સાહસ કરેલું છે. છે જરા એટલે ઘડપણથી શ્રી કૃષ્ણ સ્વર્ગવાસી થયા, તેનું પણ અલંકાર આપી જરા નામના પારધીએ કૃષ્ણને બાણ મારી મારી નાંખ્યા એ વર્ણન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy