SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ માં મદીના નાશી ગયા. ત્યારથી હોજરી સન ચાલે છે. હવે પેગમ્બરે વિચાર કર્યો કે સારી રીતે ધર્મબોધ કરવાથી આ દેશની જંગલી અને ઝનુની પ્રજા માનશે નહિ માટે લોકોની ખાસિત મુખ ધર્મપ્રચાર કરવા માટે એવું કહેવા માંડ્યું કે “ લોકોને જબરજસ્તીથી ઈસ્લામ ધર્મમાં લાવવાનું ખુદાનું ફરમાન થયું છે અને તેમ કરનારને તથા તેમ કરવા જતાં મરનારને ખુદા જીન્નત (સ્વર્ગ) આપશે” આ યુક્તિ આબાદ ફતેહમંદ નીવડી. લુંટફાટ કરવાની આદતવાળા લડાયક આરબાને આ હમ પસંદ પડે તેથી તેઓ આ ધર્મમાં દાખલ થવા લાગ્યા. પેગમ્બરે સર્વને હથીયાર બંધાવ્યાં અને કેશ લેકોની વહેપારની ચીજો ઉટ ઉપર જતી આવતી હતી તે વણઝારે લુટાવી. આથી એક પંથ બે કાજ થયાં. આગલા વેરનો બદલો લેવાયો અને લુંટારાઓને તેમની ખારિાત મુજબ ઉત્તેજન આપવાથી તેમના ધર્માનુયાયી પણ વધવા લાગ્યા. અનેક સંકટથી હિમ્મત ન હારતાં આવી રીતે સમય સંજોગોને વિચાર કરી લોક રૂચિને અનુકુળ ઉપદેશ આપી અરબસ્તાનની અજ્ઞાન, જંગલી અને ઝનુની પ્રજાને સમજાવી તેમને એકેશ્વરવાદના મુંડા નીચે લાવો એકજ સુત્રમાં ગુંથવા માટે પેગમ્બર મહમદને બેશક ધન્યવાદ ઘટે છે. પિતાના ધર્મમાં દિવસે દિવસે લોક સંખ્યાની વૃદ્ધિ થવાથી પેગમ્બરે મક્કાના હાકેમ આબુસોફીયાનને લડાઈમાં કરાવી તેને પરાજય કર્યો, હવે ભયનાં વાદળાં દુર થયાં એટલે મદીનામાં રહીને ધર્મ સિદ્ધાંત નીચે મુજબ ઠરાવી ધર્મ પ્રચાર માટે જુદા જુદા દેશમાં માલવીઓ મોકલવા માંડયા. સર્વ વ્યાપક ખુદા એકજ છે અને તે નિરંજન નિરાકાર અહત જયોતિ સ્વરૂપ છે. એ અવતાર લેતો નથી. જ્યોતિ કિરણેથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ છે. ખુદાએ આપણા શરીરના આત્માને ઉત્પન્ન કર્યો છે. આ માથી અંતઃસ્કરણ, અંતઃકરણથી કાયા અને કાયાથી આખી પલક થઈ છે. માટે ખલક ખુદાના નુરથી પેદા થઈ છે. આ નુર સર્વત્ર ચમકે છે, અને તેની કૃતિથીજ સર્વ વ્યવહાર ચાલે છે. ખુદાને પ્રસન્ન રાખવા માટે પવિત્રતા, શુદતા, સત્યતા અને નેકી રાખવી પડે છે. મહમદ ખુદા તરફનાં ફરમાન લાવનાર પેગમ્બર છે. કુરાનનાં ફરમાન પ્રમાણે ચાલનારને સ્વર્ગ મળે છે. ખુદાને નહિ માનનારા, મૂર્તિપુજક ઠાકરે છે, તેમને કોઈ પણ રીતે આપણુ ધર્મમાં લાવવાથી પુન્ય થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy