SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના—૨ ૦. ER [es] તે ખેઇન્દ્રિય, એ રીતિએ પચેન્દ્રિય પર્યંત જીવેના પાંચ પ્રકાર જણાવ્યા. અહીં કોઈને એમ શંકા થાય, કે પાંચ ઇન્દ્રિયને અનુલક્ષીને પાંચ પ્રકાર જણાવ્યા, તે મનને ઉદ્દેશીને છઠ્ઠો પ્રકાર કેમ ન જણાવ્યા ? કેટલાકને મન હેાય છે, કેટલાકને નથી હેતુ, છતાં છઠ્ઠો ભેદ કેમ નિડુ ? મન એ પણુ જ્ઞાનનુ સાધન તે ખરૂ ને! રસનાથી ખાટા મીઠા વગેરે રસનું, ધ્રાણે દ્રિયથી સુગ ંધ દુર્ગ ધનુ, ચક્ષુથી આકાર, વસ્તુ, શ્રોત્રથી શબ્દનું, સ્પર્શથી ગરમ, ઠંડા વગેરે વિષયનું જ્ઞાન થાય છે, તેમ મનથી પણ જ્ઞાન થાય છે. મનુષ્ય ભલે અહીં બેઠા હોય, પણ મુંબઈ, અમદાવાદ પાલીતાણાની મનથી કલ્પના કરે છે, અરે ત્યાંની શેરીઓને પણ કલ્પે છે. ગામ નગર પટ્ટા વિષયાદિની હાજરી ન હેાય, અને સંકલ્પ કરવા, કલ્પના કરવી, તે પ્રભાવ મનના છે. સ્વપ્ન શાના આધારે છે? સ્વપ્નમાં વિષયે બધા દૃશ્યમાન થાય છે, ઇંદ્રિયા તે નિંદ્રિત છે, પણ તે વખતે વ્યાપાર મનના જ છે. શ્રુતજ્ઞાનની વિશિષ્ટતા. શાસ્ત્રકાર મહારાજા કહે છે' કે, જ્ઞાન પાંચ પ્રકારના છે. ૧ મતિજ્ઞાન ૨ શ્રુતજ્ઞાન ૩ અધિજ્ઞાન ૪ મનઃપવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન. આ પાંચ જ્ઞાનમાં દીપતું તે માત્ર શ્રુતજ્ઞાન છે. જ્ઞાનના સ્વરૂપની દૃષ્ટિએ કેવલજ્ઞાન મેટું ખરૂં, પરન્તુ દુનિયાના હિતની અપેક્ષાએ મેટામાં મોટું સ્વપર પ્રકાશક માત્ર શ્રુતજ્ઞાન છે. કેવલજ્ઞાન પણ શ્રુતજ્ઞાન પછી ! આત્મીય દૃષ્ટિએ કેવલજ્ઞાન શ્રેષ્ઠ, દુનિયાની દૃષ્ટિએ શ્રુતજ્ઞાન શ્રેષ્ઠ. ખીજા કેવળીએ વખતે ઇંદ્રોની હાજરીનેા નિયમ નથી, પરંતુ શ્રી ગણધર દ્વાદશાંગી રચે, તે વખતે ઈંદ્રોની હાજરી હાય જ, શ્રુતજ્ઞાનની ઉત્પત્તિરૂપ શાસ્ત્રોની રચના ગણધરો કરે છે. તે વખતે વાસક્ષેપથી ભરેલે ત્રજમયથાલ લઈને ઈંદ્રો ઉભા રહે છે. શ્રુતજ્ઞાનના આવે! મહિમા છે. આવુ Rsિમાવાળુ શ્રુતજ્ઞાન મનનાજ આધારે રહે છે. શાસ્ત્રકારોએ પણ શ્રુતજ્ઞાનને ‘મુથના મટ્ટિય' મહદ્ધિક કહ્યું છે. શ્રુતજ્ઞાન મેળવ્યા વિના કેવળ જ્ઞાન છે કયાં ? નજ સાંપડે. કેવલજ્ઞાન એ મૂંગાએ ગાળ ખાધા જેવું છે. કેવલજ્ઞાની લેાકાલેાક કેવલજ્ઞાનના આધારે જાણે, પણ તેના પ્રકાશ શ્રુતજ્ઞાનદ્નારા છે. સ્વ-પર પ્રકાશક શ્રુતજ્ઞાન છે. આવુ શ્રુતજ્ઞાન મનના આધારે જ છે. શબ્દ ઉપરથી અર્થ સમજવા એ મનનું કામ છે. પ્રશ્નકારને પ્રશ્ન કહા કેશકાકારની શંકા.કહે, કે આ મનને અંગે જવાના છઠ્ઠો ભેદ કેમ ન કહ્યો? ઉત્તર એજ મનની બાહ્ય રચના નથી. ઈંદ્રિયાની ખાદ્ય રચના છે. આથી મનને ઇન્દ્રિયોની હરોળમાં શી રીતે ગણાય ? ઈન્દ્રિયાને અંગે તે આત્મા તે તે ઇન્દ્રિયાના ઉપયોગવાળા થાય, ત્યારે તેને તેનેા ક્ષયે પશમ થાય, પણ મનને અંગે માથ રચના જ નથી, તે ઉપકરણ · પણ શી રીતે મનાય ? મનની ખાહ્ય રચના નથી, માટે તેને અનિન્દ્રિય કહેવાય છે. મનને ઈન્દ્રિય તરીકે ગણવામાં આવ્યું જ નથી. આથી જીવને છઠ્ઠો ભેદ કે જીવની છઠ્ઠી જાત કહેલ નથી. પંચેન્દ્રિય સિવાયના વર્ગના જીવેાને મન નથી. કેટલાક મનવાળા, કેટલાક મનુ વગરના એ ભેદ પંચેન્દ્રિયમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy