SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ - - * * - - - — — * * * * શ્રી અમેધ–દેશના–સંગ્રહ. - --- - -- --- ----- ——— - ----- - - - મુજબ બને જાય છે. પછી તે તેને જીવ એકેન્દ્રિયાદિમાં ખૂબ રવ, અને અસંખ્યાત ભો પૂરા કર્યા. જ્યારે પેલા ભાઈસાહેબને તે તે વખતે પહેલા ભવના પહેલા સાગરોપમના આયુષ્યમાં પહેલું પલ્યોપમ હજુ પૂરું થયું નથી. આ દષ્ટાંત તે પ્રાસંગિક જણાવ્યું અહીં આપણે મુદ્દો બીજો છે. જે જે ગતિમાં રાગ થાય, તેવી લેયા જ્યાં હોય ત્યાં, તેવી ગતિમાં રખડ્યા વિના ટકે નહિ. જલચર, સ્થલચર, બેચરને અંગે વિચારણા ચાલી રહી છે. જલચરાદિનું વર્ણન. જળચર, સ્થલચર, ખેચર છે સંમૂચ્છિમ અને ગર્ભજ એમ બે પ્રકારે છે. માતા પિતાના સંગ વિના આપોઆપ ઉત્પન્ન થાય તે મૂચ્છિમ, અને માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થાય તે ગર્ભજ. એકેન્દ્રિય, બેઈન્દ્રિય તેઇદ્રિય, ચઉરિંદ્રિય તિર્યચે સંમૂછિમ જ હેય છે. ગર્ભજ તિર્ય“ચે પંચેન્દ્રિય જ હોય છે. મસ્યાદિ જલચર સંમૂછિમ તથા ગર્ભજ બન્ને પ્રકારના હોય છે. સ્થલચરના ત્રણ ભેદ, ભુજપરિસર્પ તથા ઉરપરિસર્પ તથા ચતુષ્પદ ચાર પગવાળા ગાય ભેંસ શ્વાનાદિ તે ચતુષ્પદ. સર્પને પગ નથી, તે પેટે ચાલે છે. તે ઉરપરિસર્પ, તથા હાથથી ચાલે તે ભુજપરિસર્પ, જેમકે નેળીઓ ઉંદર ખીસકેલી કાકીડો વગેરે. જેમ જલચર સંમૂ૭િમ તથા ગર્ભજ છે, તેમ ઉર પરિસર્પ તથા ભુજપરિસર્પ તથા ચતુષ્પદ તેમાં પણ તે બે પ્રકાર ખરા. ખેચર આકાશે ઉડનારા પંખીઓમાં પણ તે બે પ્રકારે છે. તિર્યંચ પંચેન્દ્રિયને અંગે આટલું જણાવ્યા બાદ વિશેષ અધિકાર અગ્રે વર્તમાન. maailmaan દેશના ૨૦. ૨ मणुस्सपंचिंदियपयोगपुच्छा, गोयमा ! दुविहा पन्नता, तं जहा-समुच्छिममणुस्स० गम्भवकंतियमणुस्स० । જ્યણાની જરૂરિયાત ઇન્દ્રિયની સાથે મનને ગણનામાં કેમ ન ગયું? શાસનસ્થાપના પ્રસંગે ભવ્ય જીના ઉપકાર માટે શાસનની પ્રવૃત્તિ ચલાવવા શ્રી તીર્થકર દેવના મુખકમલથી ત્રિપદી પામેલા શ્રી ગણધર મહારાજાએ રચેલી શ્રી દ્વાદશાંગીમાં શ્રીભગવતીજી પાંચમું અંગ છે. તેના આઠમા શતકના પહેલા ઉદેશાને અધિકાર ચાલે છે. પુદ્ગલ પરિણામને વિષય ચાલી રહ્યો છે. શબ્દાદિ વિષયે પાંચ હેવાથી તેને જાણનાર, તેને ગ્રહણકરનાર ઈન્દ્રિયે પણ પાંચ છે. તેથી જેના પણ પાંચ પ્રકાર. કેટલાક જીવે માત્ર સ્પર્શનેન્દ્રિયવાળા તે એકેન્દ્રિય, કેટલાક છે સ્પર્શનેન્દ્રિય તથા રસેન્દ્રિય ધરાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy