SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ --- -- —-- - - - — દેશના-૧૯. [૫] વધે જીવે તે જલચર, જમીન ઉપર ચાલનારા સ્થલચર, આકાશમાં ઉડનારા ખેચર. જીવનના અંતે વા મતિઃ સા ગતિઃ' જેવી મતિ તેવી ગતિ થાય છે. જેવી શ્યામાં મરણ થાય તેવી વેશ્યાવાળા બીજા ભવમાં જીવ ઉત્પન્ન થાય છે. એક વખત કેવલજ્ઞાની ભગવાન પાસે બે શ્રાવકો પિતાના ભવ સંબંધી પ્રશ્ન પૂછવા ગયા. દવાખાનાનું જ્યાં પાટીલું હોય ત્યાં પ્રશ્ન દવાને લગતા કે વ્યાધિને લગતે હોય? વકીલને ત્યાં પ્રશ્ન કાનૂની હોય. જ્ઞાની પાસે તે ધર્મ સંબંધ જ પ્રશ્ન હોય કે “મારો ઉદ્ધાર કયારે” એને મેક્ષ વિના અન્ય પ્રશ્ન હોય જ નહિ. તુલસા પર પ્રસન્ન થયેલ દેવે વરદાન માગવા કહ્યું. સુલસાએ શું માંગ્યું હતું? માગવામાં પણ બુદ્ધિ જોઈએ. કાછીઆને ત્યાં તરીયાં, ભીડ મળે, ઝવેરી પાસે ઝવેરાત મળે. માગનારાઓએ સ્થાન જોઈને માગણી કરવી જોઈએ. સુલસાએ તે કહી દીધું, કે “મારે જે જોઈએ છે તે તારાથી અપાય તેમ નથી.” શ્રાવક શ્રાવિકાને જોઈએ શું? મેલ. મેક્ષ આપવાનું સામર્થ્ય દેવતામાં નથી, તે નથી જ. એ પિતે જ રખડપટ્ટીમાં છે. એ બિચારે બીજાને મોક્ષ કયાંથી આપે? પિલા બે શ્રાવકોએ કેવલી મહારાજાને પૂછયું. ભગવાન! અમારે મોક્ષ કયારે થશે? કેવલી મહારાજાએ એકને સાત ભવે મોક્ષ પ્રાપ્તિ, તથા બીજાને અસંખ્યાતા ભવે મોક્ષ પ્રાપ્તિ કહી. બન્ને શ્રાવકોએ શ્રવણ કરી અને આનંદ પામી ત્યાંથી નીકળ્યા. પિતાને મોક્ષ છે, એટલું નક્કી થયું એટલે ભવ્યાત્માને આનંદનો પાર નહિ. છાની પરિણતિમાં પલટો આવે છે. ' જેને સાતભવે મોક્ષ કહ્યો, તેણે તે વચનને અવળા રૂપે પરિણમાવ્યું. એણે એવું વિચાર્યું, કે કેવલજ્ઞાનના વચનમાં કદી ફરક પડતો નથી. હું ગમે તેવા પાપ કરૂ તે પણ સાતના આઠ ભવ થવાના નથી. અને ગમે તેટલે ધર્મ કરું તે પણ સાતના છ ભવ થવાના નથી. આવું વિચારી, એ તો ધર્મ કરતું બંધ થયે, અને ધર્મથી પડવા માંડે. પછી પૂછવું શું? પરિણામે એ પતિત થયે, કે મરીને સાતમી નરકે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળે નારકીપણે ઉખન્ન થયે. બીજો શ્રાવક કે જેને અસંખ્યાત ભ કર્યા પછી મેક્ષ કહેવામાં આવ્યું છે, તેણે વિચાર્યું કે, કેવળીનું વચન તે અન્યથા થતું નથી, માટે અસંખ્યાતા ભવે તે થવાના જ, પણ ઉદ્ધાર તે નકકી જ છે, તેમ તેટલો સમય સુખશાંતિને મેળવવાને, અગર અસંખ્યાત ભવને ઉકેલ જલદી લાવવાને ઉપાય પણ ધર્મજ છે ને! ધર્મથી કલ્યાણ છે, એ પણ કેવલજ્ઞાનીનું જ વચન છે. આ રીતે એ બીજાએ કેવલજ્ઞાનીના વચનને સીધે અર્થ કર્યો, અને પિતે અસંખ્યાત ભવ સાંભળ્યા, માટે અધિક ધર્મ કરવા લાગ્યું. તેણે નિરતિચારપણે બારેય વ્રતનું પાલન કર્યું. દાનાદિ ધર્મની આરાધના કરી. છેલ્લે સમયે તેણે અનશન કર્યું. દુનિયામાં કહેવત છે કે “આંગણે બેરડી ન રાખવી.” એમાં દુન્યવી હાનિ પ્રત્યક્ષ છે. અહીંઆ અનશન કરનારને પણ બેરડી નડી. બરડીમાં એક પાકેલું બોર હતું, તે બારમાં મરતી વખતની ક્ષણે તેને જીવ ગયે. એજ અવસ્થામાં અવસાન થયું, અને તે શ્રાવક મરીને બેરડીમાં કીડે થયે. ભવિતવ્યતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy