SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર સ્વામીનું દીવ્ય જીવન બિરાજમાન થઈને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રુ૫ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. | તીર્થકરેનું રુ૫, બળ, જ્ઞાન સર્વથા અદ્વિતીય હોય છે, જેને આગમના વચનથી આ પ્રમાણે જાણી શકાય છે – ૧૨ પુરુષ બરાબર ૧ બળદનું બળ, ૧૦ બળદ બરાબર ૧ ઘોડાનું બળ, ૧૨ ઘોડા બરાબર ૧ પાડાનું બળ, ૧૫ પાડા બરાબર ૧ હાથીનું બળ, ૫૦૦ હાથી બરાબર ૧ સિંહનું બળ, ૨૦૦૦ સિંહ બરાબર ૧ અષ્ટાપદનું બળ, ૧૦ અષ્ટાપદ બરાબર ૧ બળદેવનું બળ, ૨ બળદેવ બરાબર ૧ વાસુદેવનું બળ, ૨ વાસુદેવ બરાબર ૧ ચકવર્તીનું બળ, ૧૦ લાખ ચકવર્તી બરાબર ૧ નાગકુમાર દેવનું બળ, ૧ કરેડ દેવ બરાબર ૧ ઈન્દ્રનું બળ, કેટલાય ઈન્દ્ર બરાબર ૧ ગણધરનું બળ, કેટલાય ગણધર બરાબર ૧ તીર્થંકરનું બળ. ઉપરના કોષ્ટકથી આપણે જાણી શકીએ છીએ કે તીર્થકર ભગવંત સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી હોય છે, અથવા પુણ્યકર્મની ચરમસીમા તીર્થકરેનાં ચરણોમાં સમાપ્ત થાય છે, જેમ સંપૂર્ણ આવરણ રહિત, સંસારવતી અનંતાનંત દ્રવ્ય-પદાર્થોનું જ્ઞાન કેવળજ્ઞાનમાં સમાપ્ત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034766
Book TitleBhagwan Mahavirswaminu Divya Jivan
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1978
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy