________________
ગુજરાતી આવૃત્તિ પ્રસંગે
પાવનકારી ભગવાન મહાવીરસ્વામીનું જીવન તેમનાં ૨૫૦૦મા નિર્વાણમહોત્સવ સમયે રાષ્ટ્રીય ભાષામાં લખાયેલું આજે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં મને ઘણે જ આનંદ થાય છે. ખાસ બાબતે લેખકીય નિવેદનમાં લખાઈ ગયેલી હોવાથી અહીં તે કેવળ છેડી જ વાતો લખીશ કે, “કેવળ માનવીય ત જાગૃત થાય તેવાં દૃષ્ટિબિંદુથી જ આ પુસ્તક લખાયેલું છે. વાચકોને ઘણા પ્રસંગો નવા જેવા લાગશે પરંતુ ઉત્પ્રેક્ષિત કરીને લખાયેલા હોવાથી સૌ કોઈ મારા દષ્ટિબિંદુને સમજી લેશે એવી મારી નમ્ર પ્રાર્થના છે. કોઈને પણ ચર્ચામાં ઉતારવા માટે આ પ્રયત્ન નથી, કેમકે ઘણું શતાબ્દીઓ સુધી માર ખાધેલા અને અત્યારે સ્વતંત્રતાને ભગવતાં પણ ભારત દેશમાં અર્થતંત્રની જેમ માનવીય તનું પણ અવમૂલ્યન જ થયેલું છે, અફસ કેવળ એટલે જ છે કે ભારતની સ્વતંત્રતાના અધિનાયકે, પુરસ્કર્તાઓ અને સંચાલકો જ આજે વેરઝેરના વમળમાંથી બહાર આવી શક્યાં નથી, માટે અહિંસાના ઝંડા નીચે મેળવેલી સ્વતંત્રતામાં હિંસાદેવીના તાંડવનૃત્યે જુદા જુદા પ્રકારે એટલા બધા વધ્યા છે કે પેપરે વાંચતાં જ હૈયાને ધ્રુજારી લાગે છે.
એક બાજુ હુંડીઆમણની અને કમાણીની લખલુટ આમદાની છે, જ્યારે બીજી બાજુ મૂક અને નિર્દોષ જાનવરોની નિકાસ કરીને તેમની ક્રૂર હત્યા છે. આ બંનેમાંથી ભારત દેશના ગ્રેજયુએટ, ડબલ ગ્રેજ્યુએટ રાજનૈતિકના મસ્તિષ્કમાં ગમે તેટલી હત્યા કરીને કે કરાવીને પણ અઢળક પૈસાને મેહ જ રહેલે છે. માટે જ પંચવર્ષીય યુજનાઓથી શ્રીમંત અને સત્તાધારી વધારેને વધારે શ્રીમંત થતે ગયે, અને ભારત દેશને ગરીબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com