SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ એમ જણાય છે; કારણ કે, જ્યાં જ્યાં પ્રાંતિક સરકારને અશકે સંબોધન કરેલું છે ત્યાં ત્યાં માત્ર કુમારને ઉદ્દેશીને જ કાંઈ કહ્યું નથી, પણ કુમારને અને તેના મહામાત્રોને સાથેસાથે જ ઉદ્દેશીને. કહ્યું છે. ધવલીને અને યાવગઢને બીજે લેખ આ વાતની સાક્ષી પુરે છે. તે જ પ્રમાણે સ્થાનિક સરકાર પોતાના તાબાના મહાલના વહીવટદારને હુકમ છોડવા માગતી ત્યારેત્યારે કુમાર (આર્યપુત્ર), તેમ કરતો નહિ, પણ કુમાર અને તેના મહામાત્રો સાથે મળીને તેમ કરતા. સિદ્ધપુર(સિદ્દાપુર)ને લેખ આ વાતની સાક્ષી પૂરે. છે. આમ થાય તે કુદરતી જ છે; કારણ કે, પ્રાંતના સુબાની ઉપર, કઈ પણ જાતને દાબ ન રહે તે તે સ્વતંત્ર રાજા થઈ બેસે, એવે ભય રહે છે. ટૂંકમાં કહીએ તો, અશોકના કાળમાં આર્યપુત્રની સત્તા કુમાર અને તેના મહામાત્રો મળીને જે મંત્રીમંડળ બનતું તેની સા ખરું જોતાં હતી. પિતાના ત્રીજા મુખ્ય શિલાલેખમાં અશકે ત્રણ પ્રકારના અધિકારીઓ ગણાવેલા છે(૧) પ્રાદેશિકા; (૨) રાજુકે; અને (૩) યુક્ત. અશોકે “યુક્ત” શબ્દને જે અર્થ કરે તે જ અર્થવાળો એ જ શબ્દ કાટિલ્યકૃત “અર્થશાસ્ત્ર” માં પણ વપરાએલે છે એ હકીક્તની તરફ શ્રીયુત એફ. ડબલ્યુ. ચમસ સાહેબે આપણું ધ્યાન પ્રથમ ખેંચ્યું હતું. ૧ “તાબાને અમલદાર,’ એવો તેનો અર્થ મસ સાહેબે કરેલો છે; પરંતુ કૌટિલ્યના કથનના આધારે આપણે યુક્ત” નામક અધિકારીને વધારે ચોક્કસ ખ્યાલ બાંધી શકીએ છીએ. કૌટિલ્ય “યુક્તો ને તેમ જ તેમના મદદનીશ “ઉપયુક્તો ને ઉલ્લેખ કરેલો છે. તેમની ફરજે એક જ પ્રકારની હતી. ટિલ્ય બે પ્રકરણોમાં એમની ફરજોનું વર્ણન કરેલું છે. એ બે પ્રકરણે કાળજીપૂર્વક વાંચી જતાં આપણને ખાત્રી થાય છે કે, તેઓ ખાસ કરીને મહાલના વહીવટદાર હતાં. તેઓ રાજાની મિલ્કતની વ્યવસ્થા ૧જ. શ એ. સે, ૧૯૦૯, પૃ. ૪૬-૪૭, ૧૯૧૪, પૃ. ૩૭-૩૯૧ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy