SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ ગએલ મીસરને રાજા બીજે ટોલેમી ફિલાડેલ્ફસ જ અશકે ઉલ્લેખેલે ‘તુરમાય” હતો. ખૂહલર સાહેબે કહ્યું છે તેમ, અશોકે જણાવેલે “અતિકિન” અથવા “અંતિકિનિ રાજા ગ્રીસને અટિગાનસ રાજા ન હતો, પણ અટિજેનિસ રાજા હતા. પણ અંટિજેનિસ નામક કઈ પણ રાજા આપણા જાણવામાં આવેલ ન હોવાથી ઈ. સ. પૂર્વે ૨૭૬થી ઈ. સ. પૂર્વે ૨૩૯ સુધીમાં થઈ ગએલા ઍસિડેનિયાના રાજા અટિગનસ ગોનેટસને અશકે કહેલા “અંતેકિનિ તરીકે ઓળખાવવામાં આવેલ છે. આશરે ઇ. સ. પૂર્વે ૩૦૦થી આશરે ઈ. સ. પૂર્વે ૨૫૦ સુધીમાં થઈ ગએલે સીરીનને ગંગાસ રાજા જ અશકે ઉલ્લેખેલા મગ હશે, એ દેખીતું છે. પરંતુ અલિદ્ર'(અલિકસુંદર)ની બાબતમાં કાંઈક મતભેદ રહેલો છે. કેટલાક વિદ્વાને કહે છે કે, ઈ. સ. પૂર્વે ર૭રથી આશરે ઇ. સ. પૂર્વે ૨૫૫ સુધીમાં થઈ ગએલે એપિરસને રાજા અલેક્ઝાંડર જ અશેકે જણાવેલ “અલિક” (અલિકસુંદર) હોવું જોઈએ. બીજા કેટલાક વિદ્વાને વળી એમ કહે છે કે, . સ. પૂર્વે ૨૫રથી આશરે ઈ. સ. પૂર્વ ૨૪૪ સુધીમાં થઈ ગએલો કરિંથને રાજા એલેકઝાંડર જ અશકે કહેલો “અલિકશી (અલિકસુંદર) હોવો જોઈએ. અશોકના ચૌદ મુખ્ય શિલાલેખ પૈકીના બીજા મુખ્ય શિલાલેખમાં માત્ર અંતિયાક” નો જ ઉલ્લેખ કરે છે, અને બીજા રાજાઓને તેના “સામંત” (સરહદી રાજ્યના રાજાઓ) કહ્યા છે. ગ્રીસના ઉક્ત રાજાઓ પિકીના માત્ર અંટિયોકસ રાજાને જ પ્રદેશ અશોકના સામ્રાજ્યની લગોલગ આવી રહેલો હતો, એમાં તો કાંઈ જ શક નથી. ચંદ્રગુપ્તના સમયથી સેલ્યુસના કુટુંબની અને મૌર્યવંશની ‘ વચ્ચે મૈત્રીને સંબંધ અને એલચીઓ મોકલવાને વ્યવહાર ચાલૂ થયો હતો, એ તે આપણે જાણીએ છીએ. પરંતુ બીજા યવનરાજાઓની ૧. સા. ડે. મેં. ગે, ૪૦, ૧૩૭. ૨. જી રે. એ. સે, ૧૯૧૪, ૯૪૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy