SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ દિશાની સરહદની પાસે તે વખતે વસેલાં હતાં. ધવલીના અને ભાવગઢના શિલાલેખમાં અશેકે પિતાના અમલદારને કહ્યું છે કે, સરહદી પ્રદેશના લેકેની પ્રત્યે અશોક સહાનુભૂતિ દર્શાવે છે અને તેમને તે પોતે ચાહે છે, એવી તેની પોતાની નીતિ તે લોકોને તેમણે જણાવી દેવી. અટવી સિવાયનું બીજું કઈ પણ સ્વતંત્ર કે અર્ધસ્વતંત્ર રાજ્ય ઉડિયામાં અશોકના સામ્રાજ્યની લગોલગ. હોઈ શકે નહિ. અશોકના સામ્રાજ્યના વિસ્તારને લગભગ ચોક્કસ ખ્યાલ આ રીતે આપણે મેળવ્યો છે. કોપકલ્પના દક્ષિણ ભાગમાં ચેડ તથા પાંડય તેમ જ સાતિયપુત્ર અને કેરલપુત્ર રાજાઓના તાબામાં જે પ્રદેશ હતો તેને બાદ કરીએ તે બાકીને લગભગ બધો હિંદુસ્તાનદેશ અશોકના તાબામાં હતો. પૂર્વ દિશામાં મદ્રાસની પાસેના પુલિકટથી માંડીને ઉત્તર દિશામાં ચિતલદુર્ગને ( જે સ્થળેથી અશોકના પાંચ ગણુ શિલાલેખની ત્રણ નકલે મળી આવેલી છે તેને) જોડીને પશ્ચિમદિશાના છેક ઉત્તરબિંદુરૂપ દક્ષિણ-કાનડા પ્રાંત સુધી હિંદુસ્તાનના નકશામાં લીટી દોરી હોય તે તે અશોકના પિતાના સામ્રાજ્યની દક્ષિણદિશાની સરહદ દર્શાવે. ગ્રીસના જે રાજાઓને અશેકે પિતાના સમકાલીન ગણા છે તેમની ઓળખાણ હવે આપણે કરશું. અશોકના તેરમાં મુખ્ય શિલાલેખમાં એ બધા રાજાઓનાં નામ આપેલાં છે. અંતિયેક રાજા અને પાડેસી હેવાથી તેને અલબત્ત પહેલે જ ગણાવવામાં આવેલ છે. તેની પેલી બાજુએ ‘તુરમાય” તથા “અંતેકિન અથવા અંતિકિનિ” તેમ જ “મગ” અને “અલિકશદ્ર” (અલિકસુંદર) નામક ચાર રાજાઓ રાજ્ય ભોગવતા હતા, એમ અશોકે કહ્યું છે.' ઈ. સ. પૂર્વે ૨૬૧થી ઈ. સ. પૂર્વે ૨૪૬ સુધીમાં થઈ ગએલે સીરિયાનો રાજા બીજો અટિકસ થી જ અશકે કહે અંતક' હતા. ઈ. સ. પૂર્વે ૨૮૫થી ઈ. સ. પૂર્વે ૨૪૭ સુધીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy