SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ મહિષપુર(માઇસેર)ના વાયવ્યકોણના ભાગને. અને કદાચ • ત્રાવણકરની છેક ઉત્તરદિશાના ભાગનો સમાવેશ થતે હૈ જોઈએ. “પેરિપ્લસ”ના લેખકના સમયમાં મૌઝિરિસ' (મુયિરિ-ડુ)અથવા તે, હાલનું કંગનુર– કેરલપુત્તનું પાટનગર હતું. ટોલેમીએ પોતાની નોંધ લખી તે કાળે કરૌર – એટલે કે, કેઈબતુર પ્રાંતમાંનું, કાવેરી નદીની બાજુમાં આવેલું “કારૂર'- તેનું પાટનગર હતું. અશેકે દક્ષિણહિંદુસ્તાનનાં જે રાજ્યના ઉલ્લેખ કરેલ છે તે રાજ્યની ચોક્કસ સીમાઓ કરાવવાનું કામ બહુ જ અઘરું થઈ પડે છે. પરંતુ એટલું તે જણાય છે કે, મહિષપુર(માઈસર)ના ચિતલદુગ પ્રાંતની ઉત્તર દિશાએ એ રાજ્ય પરસ્પર લગલગ તેમ જ અશોકના સામ્રાજ્યનાં બીજાં રાજ્યની જોડાજોડ આવી રહેલાં હેવા જોઈએ. અશોકના ગૌણ શિલાલેખેની ત્રણ નકલે આ જ પ્રદેશમાંથી મળી આવેલી છે, એ હકીકત આ અનુમાનનું સમર્થન કરે છે. એ ભાગમાંના અશોકના પ્રદેશને જોડીને જ દક્ષિણનાં રાજ્યો આવી રહેલાં ન હતા તે ત્યાં પોતાના ગૌણ શિલાલેખોની ત્રણ નકલ તન પાસેપાસે જ કરાવવાની જરૂર તેને શા માટે રહેત? આથી કરીને “ચેડ' તથા (ઉત્તર) પાંડય’ અને ‘કેરલપુત્ર” નામક રાજાઓનાં જ એ રાજ્ય હતાં, એમ હવે આપણે ખાત્રીથી કહી શકીએ છીએ. અશેકે પોતાના તેરમા મુખ્ય શિલાલેખમાં જે “અટવી' (અથવા આવ્ય') દેશનો ઉલ્લેખ કરેલ છે તેના સંબંધમાં અહીં વિચાર કરે, એ છે. તે પોતે એ લેખમાં કહે છે કે, “વળી, કેઇ (તેને) હાનિ કરે તે દેને લાડકાએ જેટલું શકય હોય તેટલું બધું ખમી લેવું જોઈએ. વળી, દેને લાડકાના મુલકમાંનાં જંગલોના લેકે)ને ૧. ઇ. અ, ૮, ૧૪૫. ૨. ઇ. એ., ૧૩, ૩૬૭-૩૬૮ ૩. ધવલીના અને યાવગઢના લેખમાં અતિ (સરહદી રાજ્યના રાજાઓ)ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy