SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુ-સંસ્કૃતિ ન પ્રસરે, એ કેમ બને ? એ પ્રાંતમાં યવનેએ વસવાટ કર્યો હતો, અને તેથી માત્ર ગ્રીસની સરકૃતિ જ તેમાં પ્રસરેલી હતીઃ એવું અનુમાન આપણે કરીએ તે પછી એ પ્રશ્નનો ઉત્તર આપણને મળી જાય છે. વળી, સિકંદર બાદશાહના વખતમાં જ ગ્રીસવાસીઓની પહેલવહેલી ઓળખાણ હિંદવાસીઓને થઈ હોય તે તેઓ “ન' (આયોનિયન) નામથી ઓળખાતા ન હોત, પણ બીજા જ નામથી ઓળખાતા હેત; કારણ કે, સિકંદરની સાથે હિંદુસ્તાનમાં આવેલા ગ્રીસવાસી લેકે “આવેનિયન” ન હતા. આનિયા માં જ ગ્રીસના લોકોનો વેપાર પહેલામાં પહેલો અને વધારેમાં વધારે વિકસ્યો છે. દૂરદૂરના પ્રદેશમાં આયોનિયાના લડવૈયાઓ જ સમરાંગણમાં પ્રથમ ઝંપલાવે છે. હિંદુસ્તાનના વાયવ્યકોણની સરહદની પાસે “આનિયાના લેકેએ પોતાનું વસાહતસ્થાન સ્થાપ્યું હતું કે કેમ ? એ શંકાસ્પદ છે. પરંતુ એટલું તો ચોક્કસ જ છે કે, “આયોનિયા” ના લેકેની સાહસિક ભાવનાને લઈને જ ઇરાની લોકોએ બધા ગ્રીસવાસઓના જતિ–નામ તરીકે યૌન” શબ્દ છ કાઢયો હતો. આથી કરીને, હિંદુસ્તાનના વાયવ્યકોણની સરહદની પાસેનું ગ્રીવાસીઓનું વસાહતસ્થાન “આનિયા” ના લેકોના હાથે સ્થપાયું હોય કે ગ્રીસવાસી લોકોના હાથે સ્થપાયું હોય તો પણ, ઈરાની લેકના પાડેસી બની રહેલા હિંદી લેકેએ એ સ્થાનનું નામ “યૌન' પાડયું હોય, એ બનવાજોગ છે. “કૌન” શબ્દને માટે સંસ્કૃત ભાષામાં “યવન” શબ્દ છે અને પાલિભાષામાં “ન” શબ્દ છે. સંસ્કૃત ભાષાના સાહિત્યમાં “યૌન શબ્દ પણ કાંઈ અજાણ્યો નથી. “મહાભારત” માં ૨ નિદાન એક ૧. એ. બ્રિ. ૧૨, ૪૪૫; ૧૪, ૭૨૦, ૨. ૧૨, ૨૦૭, ૪૩. શ્રીયુત હેમચંદ્ર રાયધરીએ પોતાના “અલ હિસ્ટરી ઐફ ધી વૈષ્ણવ સેકટ” (વૈષ્ણવ સંપ્રદાયને પ્રાચીન ઇતિહાસ) નામક અંગ્રેજી ગ્રંથમાં (પૃ. ૧૭ માં ) આ વાતની તરફ પ્રમથ આપણું ધ્યાન ખેંચ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy