SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થળે કંબોજની અને ગંધારની સાથેસાથે એ શબ્દ વપરાએલે છે; અને અશોકના પાંચમા મુખ્ય શિલાલેખમાં એ ત્રણ શબ્દ જે અનુક્રમથી લખાયા છે તે જ અનુક્રમ “મહાભારત” માં પણ જોવામાં આવે છે, એ જરા નવાઈભર્યું છે. “ન” લેકીને વસવાટ કેફેન નદીની અને સિંધુ નદીની વચ્ચે હતો, એમ શ્રીયુત દે. રા. માંડારકર કહે છે તે ખરૂં હોય તો શાહબાઝગઢીની બાજુમાં જે પ્રાચીન સ્થળનાં ખંડેરો મળી આવેલાં છે તે સ્થળ અશોકના સામ્રાજ્યની સરહદના પ્રાંતનું મુખ્ય સ્થળ કરે છે. હ્યુએનસંગે શાહબાઝગઢીને “પિ–લું-ષ” કહ્યું ઃ અશોકના ચૌદ મુખ્ય શિલાલેખોની એક નકલ શાહબાઝગઢીમાંથી મળી આવેલી છે, એ પણ ધ્યાનમાં રાખવાનું છે. આવું હોઈને એ “યોન’ પ્રાંતની બાજુમાં જ કોઈ સ્થળે કંબોજને પ્રાંત પણ હોવો જોઈએ. “મહાભારત” માં યવન લેની સાથેસાથે જ કંબોજ લેકોને ગણવેલા છે. એ કંબોજ લેકે પશ્ચિમદિશામાં (વાયવ્યકોણમાં) રહેતા હતા, અને લડવૈયા તરીકે સુપ્રસિદ્ધ હતાઃ એમ પણ મહાભારત” માં કહ્યું છે. દ્રોણપર્વમાં ૧ તેમના પાટનગર “રાજપુર' ઉલ્લેખ થએલી છે. હ્યુએનસંગે જે “હો–––લે” જણાવેલું છે તે જે આ રાજપુર” હોય-અને કશ્મીરની દક્ષિણદિશાએ જે “રરી” ગામ છે તે જ હ્યુએનસંગનું “–––પુ-લે ” હશે, એવું કનિંગહામ સાહેબે કહ્યું છે કે તે પણ ખરું હોય તે આપણે કંબોજ લેકાના વસતિસ્થાનને લગભગ એક્કસપણે ઠરાવી શકીએ, એમ છે. કેબેજ લેકેને પ્રાંત રજોરીની આસપાસ હોવો જોઈએ, અને વાયવ્યકોણના સરહદી પ્રાંતના હઝારા પ્રાંતનો પણ સમાવેશ તેમાં થતા ૧. ૪, ૫. આ શોધને માટે શ્રીયુત હેમચંદ્ર રાયધરીને આભાર. માન ઘટે છે. ૨. બીલ, ૧, ૨૬૩; મેંટસ, ૧, ૨૮૪ ૩. “એશ્યન્ટ જોંગ્રફી ઓફ ઈન્ડિયા” (પ્રાચીન હિંદુસ્તાનની ભૂગોળ), પૃ. ૧૨૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy