SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૫ અત્યુત્તમ સગુણે હેવાથી દરેક વ્યક્તિએ તેમને વિકાસ પિતાનામાં કરો જોઈએ. વળી, દરેક સંપ્રદાયના નીતિનિયમેમાં આ સદ્ગુણોને સમાવેશ કરેલો હોય છે. કેઈ સંપ્રદાયની કઈ વ્યક્તિ એ બધા નીતિનિયમો પાળે કે કેમ, એ બાબત શંકાસ્પદ છે. પરંતુ નિદાન ઉક્ત બે સદ્ગુણો તે દરેક વ્યક્તિએ કેળવવા જોઇએ. તેવી વ્યકિત તેમ ન કરે તો તે ગમે તેટલું દાન કરે તે પણ તેથી તેને બદલો વળી રહેતો નથી. આ શિલાલેખ અશોકના બારમાં મુખ્ય શિલાલેખની નકલ હોય એમ લાગે છે. એ શિલાલેખમાં અશકે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, “ વતિ ' (વાવારિકવાફસંયમ) અને પારકાને સંપ્રદાયના નીતિનિયમો શીખવાની તત્પરતા તેને પોતાને જેટલાં ઉચ્ચ લાગે છે તેટલાં ઉચ્ચ સાન' અને “gar' તેને પોતાને લાગતાં નથી. આપણા આ શિલાલેખમાં પણ અમે તમને જેટલું મહત્ત્વ આપ્યું છે તેટલું મહત્ત્વ “વારને આપ્યું નથી. વરિ ’ શબ્દને તેમ જ “માઘસુપિ' શબ્દને ઉદ્દેશીને જ “રા' શબ્દ અહીં વપરાએલો છે. પારકાના સંપ્રદાયની પ્રત્યે અયોગ્ય લાગણી દર્શાવાતી હોય તેને દૂર રાખવાના હેતુથી જ “મારા િ (હૃદયની શુદ્ધિ) શબ્દ અહીં વપરાએલે છે. | [ ૮]. ભાષાંતર (લાંબા) કાળના દરમ્યાનમાં રાજાઓ વિહારયાત્રા કરવા જતા. અહીં શિકાર અને એવા જ બીજા અભિરામ થતા. હવે દેવોને લાડકે પ્રિયદર્શી રાજ પિતાના રાજ્યાભિષેકને દસ વર્ષો વીત્યાં ત્યારે સંબોધિ(બોધિવૃક્ષ)ની કને ગયો. આમ આ ધર્મયાત્રા (સ્થાપિત થઈ). અહીં આ થાય છે –બ્રાહ્મણ અને શ્રમણ સાધુઓનાં દર્શન અને તેમને દાન, વૃદ્ધ લોકેાનાં દર્શન અને તેમને સોનાનાં દાન, અને પ્રાંતના લોકેાનાં દર્શન અને તેમને ધર્મોપદેશ તથા તેમની સાથે ધર્મની ચર્ચા. ત્યારથી દેને લાકે પ્રિયદર્શી રાજા બીજી ક્ષેત્રમાં ૩ આ (પ્રકાર)ને અભિરામ કરતો આવ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy