SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ થાય છે. તેનું બીજું કારણ એ કે, ગિરનારની નકલમાંને નિવ' શબ્દ "નિવા” હોઈ શકે નહિ. તેનું ત્રીજું કારણ એ કે, અહીં “વાદ' શબ્દ અવ્યય તરીકે નથી વપરાય પણ વિશેષણ તરીકે વપરાય છે, અને તેને અર્થ “પ્રશંસનીય ” તો થઈ જ શકતો નથી. એફ. ડબલ્યુ. થોમસ સાહેબને અનુસરીને સ્મિથ સાહેબે ઉક્ત વાકયને અર્થ આમ કર્યો છે –“જે મનુષ્યને માટે પુષ્કળ દાન અશકય છે તેને માટે આત્મસંયમ, ભાવશુદ્ધિ, કૃતજ્ઞતા અને દઢભક્તિ, એ સદ્ગુણ તો તદ્દન આવશ્યક થઈ પડે છે.” આથી કરીને એમ સમજાય છે કે, થ્રેમસ સાહેબે નૈમિત્તિકા (પ્રસંગે પાત્ત) શબ્દના વિરોધમાં નિનિત્ય' શબ્દ ગણુને તેને અર્થ “શયમનું અથવા અત્યાજ્ય કર્યો છે. ખરું જોતાં અહીં “નિર' શબ્દ “નિત્ય' શબ્દના અર્થમાં વપરાયે હેત તે નિદાન કાલશીની અને ધવલીની તથા યાવગઢની નક્લમાં “નિતિ સબ્દ વપરાય છે. વળી, આ શબ્દ વિશેષણ તરીકે વપરાય હેત તો આગળના શબ્દ “જિ-મસ્તિતાની સાથે બંધબેસત નિવા' શબ્દ આ શિલાલેખની બધી નકલમાં જોવામાં આવત. ગિરનારની નકલમાં નિવા' શબ્દ છે અને બીજી નકલોમાં નિર' શબ્દ છે. એ જ એમ બતાવી આપે છે કે, “નિવા’ શબ્દ પહેલી વિભક્તિનું બહુવચન છે, અને “નિ' શબ્દ પહેલી વિભકિતનું એકવચન છે. ગિરનારની નકલમાં એકવચન વાળા “ચા” શબ્દની સાથે બહુવચનવાળે “નિરો શબ્દ વપરાય છે તેથી કાંઈ ગભરાવાનું નથી; કારણ કે, અશકની ધર્મલિપિઓમાં આવી જાતના ગોટાળાની કાંઈ નવાઈ નથી. દાખલા તરીકે, અશોકના પાંચમાં મુખ્ય શિલાલેખની ગિરનારની નકલમાંનું આ વાક્ય જુઓ – "त मम पुता च पोत्रा च परं च तेन वे मम अपच आव સંવરપ અનુવતિ તથા at તુર્ત જાતિ.” એ શિલાલેખના આ વાકયમાં બહુવચનવાળા “અનુવતિ' ક્રિયાપદને અને એકવચન વાળા જાતિ ક્રિયાપદને કર્તા એક જ છે. આપણું આ શિલાલેખમાં અશક એમ કહેવા માગે છે કે, “સંયમ' અને “રક્રિ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy