SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ “હેતુઓને અને શબ્દના સંબંધમાં વિગતવાર આજ્ઞા નિમકહરામને આપવાનું કામ સાથે કરવાનું છે.” આ અર્થને લંબાણપૂર્વક અર્થ આમ કરી શકાય છે –“એટલે (નીતિના) પાયાને ( નીતિનિયમેન) અને (સિદ્ધાંતને તથા નિયત ક્રમને અનુસરીને) પ્રકારને વિગતવાર ઉપદેશ કરવાનું કામ સંઘે કરવાનું છે.” ખૂહલર સાહેબે ઉક્ત વાક્યને અર્થ આવો કર્યો છે –“વળી, શબ્દને તેમ જ હેતુને અનુસરીને પ્રાર્થનામાં જે યોગ્ય છે તે સર્વ સંપ્રદાયના ગુરુઓ અને સાધુએ ઉપદેશશે.” એ વાકયને ખરે અર્થ કરવાનો પ્રયત્ન હવે આપણે કરશે. પ્રથમ તો એ સવાલ ઊભે થાય છે કે, અહીં “યુત’ શબ્દને અર્થ શું થાય છે? આ શિલાલેખમાં પ્રથમ એ શબ્દને જે અર્થ થાય છે તે જ અર્થ અહીં પણ લેવાને છે, એ દેખીતું છે. રજજુકે અને પ્રાદેશિક અમલદારે હતા; અને યુકતોને તેમની સાથે સાથે જ ગણાવવામાં આવ્યા છે તેથી તેઓ પણ અમલદારો જ હેવા જોઈએ. એ અમલદારે કેવા પ્રકારના હતા, એ આપણે જોઈ ગયા છીએ. “સંત” શબ્દનો અર્થ એનાર્ત સાહેબે અને બુહલર સાહેબે અનુક્રમે “નિમકહરામ” અને “જે એગ્ય છે તે ” કરેલ છે તે આ રીતે ભાંગી પડે છે. બીજો સવાલ એ છે કે, જે “’ શબ્દને અથ એનાર્ત સાહેબે “સંધ કર્યો છે અને ખૂહલર સાહેબે “ સંપ્રદાયના ગુરુઓ અને સાધુઓ” કર્યો છે તે “v ar” શબ્દનો અર્થ શું છે? એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, અશેકના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં પણ રિસ' શબ્દ વપરાયેલ છે. આપણે પછીથી શું તેમ શ્રીયુત કે. પી. જયસ્વાલે ખાત્રી કરી આપી છે કે, ઉક્ત શિલાલેખમાં એ શબ્દનો અર્થ “મંત્રીમંડળ” થાય છે. આ અર્થ અહીં બરાબર બંધ બેસે છે; કારણ કે, ખરી રીતે મંત્રીમંડળ જ યુકતને આજ્ઞા આપી શકે. હવે “જાન' શબ્દનો વિચાર કરવાનું રહે છે. તેને અર્થ “ગણત્રી છે. આપણે પ્રથમ જોઈ ગયા છીએ કે, “પશ્ચચતાને અને “જપમાંડતાને સગુણ કેળવવાને ઉપદેશ કરવાની આજ્ઞા અશેકે પોતાના અમલદારાને કરેલી છે. પણ લોકો આ વ્યવહાર સદગુણને કેળવે છે કે કેમ, એ શી રીતે નક્કી કરવું ? આવું નક્કી કરવાના હેતુથી કેટલાક અમલદારેએ ઘેરઘેર તપાસ કરવી જોઈએ અને દરેક ગૃહસ્થાશ્રમીએ કેટલો ખર્ચ કર્યો અને કેટલો સંચય કર્યો, એની ગણત્રી તેમણે કરવી જોઈએ. પણ બધાં કુટુંબને લાગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy