SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ત્રાંસા અને આછા આછા છે, અને તેથી એમ સાબીત થાય છે કે, એ લેખ પાછળથી ઉમેરાય હો જોઈએ. શમ્સ-ઈ-સિરાઝ કહે છે તેમ, દિલ્લીમાને અશોકનો બીજો થાંભલે પણ એ જ સુલતાને મિર(મીરત)માંથી ત્યાં આણ્યો હતો અને હાલના દિલ્લીના વાયવ્યખૂણે આવી રહેલા “શિકારમહેલ” ની બાજુમાં ગોઠવાવ્યું હતું. જોકે એમ માને છે કે, ફરૂખશિયરના રાજકાળમાં (ઈ. સ. ૧૭૧૩ થી ૧૭૧૯ સુધીમાં અચાનક સુરંગ ફૂટી જતાં એ થાંભલો પડી ગએલે. એ પડી ગએલા થાંભલાના જે ભાગમાં અશોક સ્તંભલેખ કાતરાએલે હતો તે ભાગ એક સમયે બંગાળાની એશિયાઈ મંડળીના સંગ્રહસ્થાનમાં હતા. પણ પછીથી એ ભાગને પાછે દિલ્લીમાં મોકલી આપવામાં આવ્યો હતો, અને એ થાંભલાને ફરીથી ઈ. સ. ૧૮૬૭ માં તેની મૂળ જગ્યાએ ઊભો કરવામાં આવ્યા હતા. તેના ઉપર કોતરેલા અશોકના સ્તંભલેખનો કેટલોક ભાગ નષ્ટ થઈ ગએલે હોવાથી અને અત્યારે દેખાતે કેટલેક ભાગ લીસે થઈ ગએલો હોવાથી તે સ્તંભલેખ બહુ અધૂરો છે. અલ્લાહાબાદનો થાંભલે આજે ત્યાંના કિલ્લાની અંદરના એલનબરેબેરેકમાં ઊભેલે છે. તેના ઉપર અશોકના બે ગૌણ સ્તંભલેખો પણ કતરેલા છે. તે પૈકીને એક લેખ કૌશાંબીના અમલદાને ઉદેશીને લખેલે હેવાથી એમ જણાય છે કે, અલાહાબાદના નૈયખૂણે આશરે પંદર ગાઉના છે. યમુના નદીના કાંઠે આજે કેસમ (પ્રાચીન કૌશબી) છે તેમાં મૂળે એ થાંભલે ઊભો કરવામાં આવ્યો હશે. આ થાંભલાની ઉપર સમુદ્રગુપ્તની પ્રશસ્તિ પણ કોતરેલી છે. આત્મપ્રશંસાથી ભરેલે પિતાને લેખ આ થાંભલાની ઉપર કાતરાવીને જહાંગીરે અશોકના ત્રીજા અને ચોથા મુખ્ય સ્તંભલેખને નાહક નષ્ટ કર્યો છે. પરંતુ તેના સમયની પહેલાં જ એ થાંભલાને પ્રયાગમાં લઈ જવામાં આવેલ. અશોકના નિદાન બે થાંભલા દિલ્લીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy