SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ zon જાય છે. પ્રથમ તે, મનુષ્યાના અને પશુઓના શરીરસુખને માટે તેણે જે પરાપકારનાં કામ કરેલાં તેમના વિચાર આપણે કરવાના છે. અગાઉ તે આપણે જોઇ ગયા છીએ.૧ તે પૈકીનુ સૌથી વધારે મહત્ત્વનું કામ તેા એ હતુ` કે, તેણે ઔષધિએ તથા મૂળિયાં અને કળા જ્યાંજ્યાં ન હતાં ત્યાંત્યાં લેવડાવી જઇને પાવ્યાં હતાં. ફૂવા ખાદાવવા, અને છાયા આપનારાં ઝાડ રાપાવવાં : એ વગેરે પરાપકારનાં કામેા તેમ જ ઉપરનું પરાપકારનું કામ પોતાના સામ્રાજ્યમાં તેણે કરેલાં એટલું જ નહિ, પશુ હિંદુસ્તાનની અંદરના અને બહારના પોતાના સમકાલીન રાજાએના પ્રદેશમાં પણ તેણે તે કામેા કરેલાં. પ્રાણીની પ્રત્યે બેદરકારીભરી ક્રૂરતા થતી અટકાવવાને તેમ જ તેમનેા વધ થતા બંધ કરવાને તેણે જે ઉપાયે લીધેલા તે પણ આપણે પ્રથમ વાંચી ગયા છીએ.૨ પર ંતુ માત્ર પ્રાણીઓની પ્રત્યે જ તે દયા બતાવતા, એમ કાંઇ નથી. આપણે અગાઉ કહી ગયા છીએ તેમ, ‘ પ્રાળાનં સારમો ' ( પ્રાણના વધ ન કરવો તે ) અને અવિત્તિના મૂતાનમ્ ' ( જીવંત પ્રાણીઓન હિંસા ન કરવી તે ) નીતિવિષયક ધર્માચરણની એ મુખ્ય બાબતા છે. એમને અનુસરીને જ તે પોતાના બીજા મુખ્ય સ્તંભલેખમાં કબૂલ કરે છે કે, “અંપગાં તથા ચાપગાં પ્રાણીઓને તથા પક્ષીઓને અને પાણીમાં રહેતાં પ્રાણીઓને પ્રાણની દક્ષિણા આપવાના જેટલા પશુ અનુગ્રહ તેણે પાતે કર્યાં છે. એ રીતે અશાકે વિસ્તૃત કાર્યક્રમ “ધડી કાઢયા હતા; અને માત્ર પ્રાણીઓની બાબતમાં જ નહિ, પણ આખી પ્રાણીસૃષ્ટિની ખાબતમાં તેના અમલ કરવાનું તેણે ઠરાવ્યું હતું. જે અડ્રિંક હિતસુખ તેણે પાતે સાધેલું. અને મનુષ્યાએ તેમ જ પશુએ પણ સાધેલું તે હિતસુખના સબંધમાં આટલું કહેવું બસ થશે. આપણે એમ પણ જાણીએ < "" ૧. જુઓ પૃ. ૬૩૩-૧૩૪; ૧૪૦-૧૪૧. ૨. જીઆ પૃ. ૧૩૭-૧૩૮, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy