SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ આવેલી જોવામાં આવે છે, અને તેથી “ શના બદલામાં “ગ' જેવામાં આવે છે. ના બદલામાં હંમેશાં ૪ વપરાય છે (દાખલા તરીકે, " ના બદલામાં “રાજા” લખાય છે). નરજાતિના અને ઘણુંખરું નાન્યતરજાતિના શબ્દની પહેલી વિભક્તિના એકવચનના છેડે “એકાર આવે છે (દાખલા તરીકે, “સમષિ’ના બદલામાં “સમાને' અને “રા'ના બદલામાં “ ” વપરાય છે). જે જોડાક્ષરમાં શરૂઆતમાં “ધકાર ન આવતો હોય તે જોડાક્ષર હમેશાં જોડાક્ષર તરીકે નથી લખાતે, પણ તેના બે અક્ષરની વચ્ચે “ઈકાર દાખલ કરવામાં આવે છે ( દાખલા તરીકે, “અવન'ના બદલામાં “ષિાનિ' લખાય છે). વળી, “રકાર શરૂઆતમાં ન હોય તો તે હંમેશાં તેને રૂખસદ આપવામાં આવે છે (દાખલા તરીકે, રિજના બદલામાં વિજ વપરાય છે). જે થાંભલાઓના ઉપર અશોકના સાત મુખ્ય સ્તંભલેખો કોતરાએલા છે તે થાંભલાઓ મધ્યદેશમાંથી જ મળી આવેલા છે તેથી કરીને આપણે એમ કહી શકીએ છીએ કે, ઉપલી બધી ખાસિયત એ પ્રાંતની બોલીની જ ખાસિયત હોવી જોઈએ. પરંતુ અશેના ચૌદ મુખ્ય શિલાલેખને વિચાર આપણે કરીએ છીએ ત્યારે આપણી સામે બીજી મુશ્કેલી ખડી થાય છે. પ્રથમ તે આપણને એમ માલૂમ પડે છે કે, મધ્યદેશની બોલીની ઉક્ત ખાસિયતો ધવલીના અને યાવગઢના શિલાલેખમાં પૂરેપૂરા અંશે અને કાલશીના શિલાલેખમાં લગભગ પૂરેપૂરા અંશે દેખા દે છે. પછી બાકીનાં સ્થળોના શિલાલેખાને વિચાર આપણે કરીએ છીએ ત્યારે આપણને એમ માલૂમ પડે છે કે, શાહબાઝગઢીના તથા મનફ્રહરના અને ગિરનારના શિલાલેખમાં મધ્યદેશની બેલીની કેટલીક ખાસિયત જોવામાં આવે છે તે પણ તેમની પિતાની કેટલીક ખાસિયત પણ જેવામાં આવે છે, અને એ એમની ખાસિયત જૂદી જૂદી બોલી જ બતાવી આપે છે. આપણે આ બાબતમાં વધારે ઊંડા ઊતરીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy