SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૮ એ જ સમયે તે ભિક્ષુગતિક બન્યો હતો તેથી કરીને આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે, ભિક્ષુઓના સંઘને પિતાની સાથે રાખીને તેણે મહાબોધિબોધિવૃક્ષ)ની મુલાકાત લીધી તે જ વખતે ભિક્ષુગતિક તરીકેની તેની કારકીર્દિીની શરૂઆત થઈ હતી. પિતાની જાતને તેમ જ પિતાની પ્રજાને જે અનેકવિધ આધ્યાત્મિક લાભ થતા હતા તેમનો વિચાર કરીને તેણે ફરીફરીને ધર્મયાત્રાએ જવાને નિશ્ચય કર્યો, અને એ રીતે ધર્મોપદેશને લગતા પિતાના કાર્યક્રમમાં એવી ધર્મયાત્રાને કાયમનું સ્થાન તેણે આપી દીધું. આથી કરીને આપણે ખુશીથી એમ કહી શકીએ કે, સ્વર્ગીય સાધનોનું અને તેમના પણામમાં મળતાં સુખનું જે પ્રદર્શન અશોક પિતે કરતો હતો તેની સાથેસાથે જ ધર્મપ્રચાર કરવાના હેતુથી તે લેકેને જાતે જ ધર્મોપદેશ પણ કરતા હતા. પિનાની પ્રજાને ધર્મને ઉપદેશ કરવાનું કામ રાજા પોતે જ ઊપાડી લે છે, એ જોઇને લેકના મનની ઉપર ઘણી ઊંડી છાપ પડી હશે; અને એ જ કારણથી સર્વ દિશામાં ધર્મપ્રચાર થઈ શકો હશે. પરંતુ આખરે તો અશોક પોતે એક જ હતો; અને તેથી, બધા લોકોને અંગત પરિચય તે પોતે કરી શકે, એ બની શકે જ નહિ. આથી કરીને તેના પિતાના પગલે ચાલવાની બાબતમાં તેમ જ તેણે પિતે જ શરૂ કરેલા કામને પૂરું કરવામાં તેને પિતાને મદદરૂપ થવાની બાબતમાં પિતાના પ્રતિનિધિઓને (અમલદારોને) હુકમ કરવાની જરૂર અશોકને જણાઈ હતી. તેને સાતમો મુખ્ય સ્તંભલેખ જોતાં આ વાત સ્પષ્ટ થાય છે. પોતાના રાજકાળના સત્તાવાસમાં વર્ષ સુધીમાં પિતે પાર પાડેલા સમસ્ત કામનું સિંહાવલેન પોતાના ઉક્ત સ્તંભલેખમાં તેણે કરેલું છે તેથી કરીને પિતાના હેતુને બર લાવવાના કામે તેણે પોતે જે વિવિધ ઉપાયો યોજેલા અને કરેલા તે ઉપાયોનું વર્ણન સ્વાભાવિક રીતે તેણે તેમાં કરેલું છે. પિતાની પ્રજામાં ધર્મનો પ્રચાર થાય, એ બાબતની જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy