SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પત્ની અને સંતાને પશ્ચિમદિશાઓ છે; અને મિત્રો તથા સગાંસંબંધી ઉત્તરદિશાએ છે; નોકરે અને મજુરે પૃથ્વીની દિશાએ છે; અને બ્રાહ્મણ તથા ભિક્ષુ આકાશની દિશાએ છે. પચાસ વર્ષની ઉમ્મર થાય ત્યાં સુધી ગૃહસ્થાશ્રમી ગણાતા પુરુષે ઉક્ત દિશાઓને પૂજવી જોઈએ. ?” ઉકત ગાથાઓનો વિચાર કરનાર વાચક પણ એટલું તે જોઈ શકે છે કે, પોતાની પ્રજાના મનમાં જે આચારશ્રેણીને ઠસાવતાં અશોક કદિ થાકતો નથી તે જ આચારશ્રેણી એ ગાથાઓમાં પ્રચવામાં આવેલી છે. માતાપિતાની સેવા; ગુરૂનું માન; મિત્રોની તથા સંબંધીઓની અને સગાંની તેમ જ બ્રાહ્મણોની અને શ્રમણની સાથે ઉદાર અને ગ્ય વર્તણુક, તથા દાસની અને નોકરેની સાથે યોગ્ય વર્તણુકઃ એ જ આચારશ્રેણીને ઉદ્દેશીને અશોકે ભાર દઈને કહેલું છે; અને સિગાલ પોતે સારે અને સદ્દગુણી ગૃહસ્થાશ્રમી થાય તેટલા માટે બુદ્ધ ભગવાને પણ આ જાતની આચારશ્રેણીને ઉદ્દેશીને આગ્રહપૂર્વક ઉપદેશ કરેલ છે. જેના કાન સંપ્રદાય તથા આછવકેને સંપ્રદાય અને એવા બીજા સંપ્રદાયો જે તત્ત્વને કબૂલ ન રાખે એવું કાંઈ પણ તત્ત્વ અશોકની ધર્મમૃતિમાં જોવામાં આવતું નથી. બૌદ્ધપંચના ઉપાસકેને માટે યોજાએલા “સિગાવાઃ -પુરમાં ઉક્ત ફરજો જ કેંદ્રીભૂત અને ઉદ્દિષ્ટ છે. આથી કરીને આપણે એ જ નિર્ણય કરી શકીએ છીએ કે, અશોકના ધર્મનો મૂળ પાયો એમાં જ રહેલો છે, અને તેમાંથી જ અશોકને પ્રોત્સાહન મળેલું હતું. હજી વધારાની સાબીતી જોઈતી હોય તો બૌદ્ધપંથમાંના “મહામગસ્ટ-સુર”. માંથી તે મેળવી લેવી. બૌદ્ધપંથમાં “ નિવાસુરને જે મહત્વ અપાય છે તેનાથી ઊતરતું મહત્ત્વ “મહાદત્તને અપાય છે. એ સૂત્ર “સુરજપતિ” માં જોવામાં આવે છે. તેમાં અમુક અમુક ફરજ ગણાવેલી છે; અને એ ફરજો અદા કર્યાથી. ૧. બીજાં કેટલાંક બૌદ્ધસૂત્રોમાં પણ આવા જ નીતિનિયમો ગણાવવામાં આવેલા છે જુએ “ગુત્તનિય”૩, ૭-૭૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy