SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ વિવિધ અને પરસ્પરવિરોધી વિચારે પ્રચલિત હોય છે. આવું હોય તેમાં કાંઈ નવાઈ નથી; કારણ કે, માણસની બુદ્ધિ ભેદવાળી હોય છે. પરંતુ ધર્મના નીતિવિષયક ભાગની બાબતમાં તે એ કઈ મતભેદ જોવામાં આવતો નથી. નીતિમય સદ્દગુણોની બાબતમાં તેમ જ જે નીતિમય આચારોને અમલ આપણે કરવો જોઈએ તે આચારની બાબતમાં કાંઈ પણ મતભેદ અને મારામારી આપણું નજરે પડતાં નથી. એ બાબતમાં તો માત્ર એકતા જ આપણી નજરે પડે છે. આવું હોય તેમાં કાંઈ નવાઈ નથી; કારણ કે, સાચું છેટું સમજનાર આત્મા ભેજવાળો હોતે જ નથી. આથી કરીને કોઈ પણ ધર્મના નીતિવિષયક વિભાગમાં જે ઉપદેશ કર્યો હોય તે એ ધર્મને પિતાનો જ હિસ્સે ન હોઈ શકે, પણ સર્વ ધર્મોની સર્વસાધારણ માલીકી હોઈ શકે. એ જ સર્વે ધર્મોને ખરેખર સાર છે; અને જે ધર્મ અશોકે ઉપદે છે –અને જે ધર્મને વિચાર અત્યાર સુધીમાં આપણે કર્યો છે તે ધર્મ આવા જ પ્રકારને, સર્વ ધર્મને સાર છે. પરંતુ જે ઘડીએ આપણે આપણું બુદ્ધિના ઘેડાની લગામ છૂટી મુકીએ તે જ ઘડીથી કર્મકાંડની સાથે તેમ જ અધ્યાત્મવિદ્યાની સાથે સંબંધ ધરાવતા વિષયને લગતી આપણી ચર્ચાને કાંઈ પણ હદ રહેતી નથી; અને ઘણુંખરું તો એ ચર્ચા તીવ્ર વાદવિવાદનું રૂપ પણ લે છે. આથી જ કવખતે પણ લેકે પિતાના પાખંડને વખાણવાને અને ખાસ કારણ વગર જ પારકાના પાખંડને ધિક્કારવાને પ્રેરાય છે. આવી જાતના ગાંડપણની સામે જ અશકે જબરો વધે ઊઠાવેલ છે, એ ઉપર આપણે જોઈ ગયા. અશોકે જે સબળ ઉપદેશ કરવાનું યોગ્ય ધાર્યું છે તે જોતાં આપણે એમ કહી શકીએ છીએ કે, તેના પિતાના સમયમાં લેકે પિતાના પાર્ષકને પૂજતા હશે, અને પારકાના પાખંડને વખોડતા હશે, અને ધર્મોપદેશના વિષયોના સંબંધમાં વિવિધ પાષડેના લેકેાની વચ્ચે ઘણુંખરૂં તીવ્ર અને ઉગ્ર વાદવિવાદ થતા હશે. ખાસ કરીને કયા ભાગમાં આ પ્રકારનો તીવ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy