SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ સાંભળવું તે, માતાપિતાનું કહ્યું સાંભળવું તે, મિત્રોની તથા ઓળખીતાની અને ગોઠિયાની તથા સગાંસંબંધીની તેમ જ દાની અને નોકરીની સાથે યોગ્ય વર્તન સ્થપાએલાં છે. આ બધી ફરજો અદા ક્યથી જે ધર્મનું પાલન થાય છે તે ધર્મ સર્વ પાખંડેને માટે સર્વસાધારણ છે: એ જ અશોકના થનનો મુદ્દો છે, એમ સ્પષ્ટ થતું નથી ? આથી જ અન્યત્ર (સાતમા મુખ્ય શિલાલેખમાં) પિતાની તીવ્ર ઈચ્છા દર્શાવતાં તેણે કહ્યું છે કે, “મારા રાજ્યમાં) સર્વ પાઉંડે સર્વત્ર (ભલે) વસે; કારણ કે, તેઓ બધા જ સંયમ અને ભાવશુદ્ધિ ઈચ્છે છે.” વધારામાં તે કહે છે કે, “પરંતુ લેકે વિવિધ છંદના અને રાગના હોય છે. તેઓ (પિતાની ફરજ) પૂર્ણાશે અગર અલ્પાંશે અદા કરશે. પણ જે મનુષ્યને આત્મસંયમ, ભાવશુદ્ધિ, (કૃતજ્ઞતા અને દઢભક્તિ) નથી તે પુષ્કળ દાન કરતો હોય તે પણ ખરેખર નીય મનુષ્ય છે.” આત્મસંયમ અને ભાવશુદ્ધિ એવા મહત્વના સગુણ છે કે, દરેક વ્યક્તિએ પોતામાં તેમને વિકાસ કરવું જોઈએ એવું અશોક અહીં કહેવા માગે છે. વળી, દરેક સંપ્રદાય આ જ સગુણોનો બેધ કરે છે. દરેક સંપ્રદાયની ધર્માત્રામાં મોટા ભાગે એ જ સદ્દગુણોને સમાવેશ કરવામાં આવેલ હોય છે. તેમ છતાં પણ એ સંપ્રદાયની દરેક વ્યક્તિ એ સમસ્ત ધર્માણાને અમલ કરે જ, એમ ખાત્રીથી ન કહી શકાય. પરંતુ નિદાન આત્મસંયમ અને ભાવશુદ્ધિ તો દરેક વ્યક્તિએ રાખવાં જ જોઈએ. તે વ્યક્તિ ગમે તેટલી દાનશીલ તથા કૃતજ્ઞ અને દઢભક્તિવાળી હોય તે પણ આત્મસંયમની અને ભાવશુદ્ધિની આગળ એના એ ગુણે પણ પાણું ભરે છે. પોતાના બારમા શિલાલેખમાં વધારે સ્પષ્ટ ભાષા વાપરીને અને જો લંબાણથી એ જ પ્રકારને ઉપદેશ અશકે કરેલ છે. વિવિધ પાર્ષની પ્રત્યેના અશોકના પિતાના ભાવનું સુંદર ચિત્ર આલેખતે ઉક્ત શિલાલેખ એટલા બધા મહત્ત્વનું છે કે, અહીં તેને સાર પૂર્ણાશે આપવામાં કાંઈ અડચણ નથી. અશોક કહે છે કે, સર્વ પાપડના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy