SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયશેખરસૂરિ [ ૧૩ દિગ્ગજ વિદ્વાન વિશે પણ આજ દિવસ સુધી કેઈએ કશું નોંધ્યું નથી, કે ઉલ્લેખ સુદ્ધાં કરેલ નથી ! મંત્રી પંચાયણનો ઉલ્લેખ વિ. સં. ૧૫૦હ્ના વૈશાખ શુદિ ૧૩ ને શુકવારે પ્રતિષ્ઠિત થયેલી ધાતુમૂર્તિના લેખમાંથી મળે છે. જુઓઃ “અંચલગરછીય લેખ-સંગ્રહ” લેખાંક ૯૦. વિરાટ નગરીને ઉક્ત મંત્રી એજ લેખક્ત મંત્રી પંચાયણ હોય તે તે શ્રીમાલી વંશને હતે. મત્રી મૂલરાજ અને શારદેવી તેના માતા-પિતા હતાં. મંત્રીની પત્નીનું નામ સખૂ હતું. તેને આ પ્રમાણે પુત્ર થયાઃ સૂરા, શિવદાસ, હરિશ્ચન્દ્ર. આ પરિ વાર સહિત મંત્રી પંચાયણે અંચલગચ્છાધિપતિ જયકેસરસૂરિના ઉપદેશથી ઉપર્યુક્ત દિવસે શ્રી વિમલનાથપ્રભુનું બિમ્બ ભરાવ્યું, અને સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. કવિચકવતિના સાહિત્ય-વર્તુલમાં આવા બીજા પણ અનેક નામી-અનામી સાહિત્યકારે થઈ ગયા હશે એમાં શંકા નથી. અનેક નવોદિત કવિઓ અને લેખકે જયશેખર સૂરિની સાહિત્યિક અસર હેઠળ ઉછર્યા હશે. એ પછીની શતાબ્દીઓના ગ્રન્થકારે પણ એમની અસરથી વિમુક્ત રહી શક્યા નથી એ બાબત પણ ઘણું જ મહત્ત્વપૂર્ણ ગણાય. - જયશેખરસૂરિએ રચેલ રૂપક કાવ્ય : “પ્રબંધ ચિન્તામણિ”નું વસ્તુ લઈને વૃદ્ધતપાગચ્છીયકવિવર નયસુંદરે “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ” (રચના વિ. સં. ૧૬પ૬) માં “વિવેક અને “મહીના મહાયુદ્ધનું વર્ણન કર્યું, તપાગચ્છીય વિજયસેનસૂરિના શિષ્ય હીરાએ વિ. સં. ૧૬૬૪ માં “ધર્મબુદ્ધિરાસ” ર. ખરતરગચ્છીય વિદ્યાકીતિએ વિ. સં. ૧૬૭૨ માં, અને મતિકીતિએ વિ.સં ૧૬૯૭માં ધર્મબુદ્ધિ મંત્રી ચોપાઈઓ રચી. વિકમના ૧૬ મા સૈકામાં વિદ્યમાન આગમગ છીય પં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy