SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેન્દ્રપ્રભસૂરિ [ ૧૧ ટને તેડાવ્યા અને કામ જોશભેર શરૂ કરાવ્યું. જિનાલયનું ઘણુંખરૂં બાંધકામ પૂરું થવા આવ્યું હતું. પાસે એક વાવ પણ બંધાવી હતી. દુર્ભાગ્યે જિનાલયનું કામ સંપૂર્ણ થાય તે પહેલાં જ તેઓ વિ. સં. ૧૪૯૪ માં મૃત્યુ પામ્યા. એટલે કાજલશાહે ભાણેજોને પોતાને ઘેર તેડાવીને જિનાલયનું કામ પરિપૂર્ણ કરાવ્યું. વિ. સં. ૧૪૫ માં ત્યાંના સંઘે જિનાલયને ફરતી દેવકુલિકાએ બંધાવી. બીજી પણ ભવ્ય દેવકુલિકાઓની રચના થઈ શિખર ઉપર ધ્વજારે પણ પ્રસંગે રાજલશાહ અને મેઘાશાહના પુત્ર મહેરા વચ્ચે કલેશ થયે. ધ્વજારેપણ કરવાના કાજલશાહના કેડ પૂરા થયા નહિ. મેઘાશાહના પુત્ર મહેરાશાહે ધ્વજારોપણ કર્યું. ત્યાંના ઠાકોરે એ તીર્થને મુંડકા–વેરામાંથી મુક્ત કર્યું. મેઘાના સંતાનો આ જિનાલયની દેખરેખ રાખતા હોવાથી તેઓ ગેઝી–ગોઠીના નામથી ઓળખાયા. આ તીર્થની ઉત્પત્તિને ઈતિહાસ સુદીર્ઘ છે, જે સંબંધમાં અનેક આખ્યાયિકાઓ ઉપલબ્ધ થાય છે. અહીં તે વિશે જણાવવું પ્રાપ્ત થતું નથી. જૈન શાસનના ઈતિહાસમાં આ તીર્થે વિશિષ્ટ પ્રકરણ આલેખ્યું છે. જેને માટે તે તે પરમ આસ્થાનું ધામ બન્યું, કિન્તુ જેનેતર પણ એની માનતા માનવા લાગેલા અંગ્રેજે પણ એના ચમત્કારથી અપ્રભાવિત રહી શક્યા નહિ. અંચલગચ્છના ઇતિહાસમાં આ તીર્થને મહિમા અપૂર્વ ગવાય છે. અભયસિંહસૂરિનું નામ આ તીર્થની ઉત્પત્તિ સંબંધમાં સંલગ્ન હેઈને આટલો ઉલ્લેખ અહીં પ્રસ્તુત બન્યા છે. રંગરસૂરિ તથા સેમતિલકસૂરિ વિશે ભદ્રગ્રંથમાંથી ઉલ્લેખ મળે છે. એક શ્રીમાલી જેન કુટુંબની જૂની વંશાવલીમાં જણાવાયું છે કે ગગન શ્રેષ્ઠીએ રંગરત્નસૂરિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy