SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેન્દ્રસિંહસૂરિ [ ૧૩ મયમાં ચિરસ્મરણીય રહેશે. એમની કેટલીક ઉપલબ્ધ કૃતિઓ આ પ્રમાણે છેઃ (૧) અષ્ટોત્તરી-તીર્થમાલા (૨) વિચાર સપ્તતિકા (૩) મનઃસ્થિરકરણ (૪) સાર-સંગ્રહ (૫) શતાદિકા (૬) અષ્ટોત્તરી વૃત્તિ (૭) મનઃસ્થિરીકરણ પ્રકરણ–વિવરણ (૮) “ગુરુગુણ ષત્રિશિકા” મહેન્દ્રસિંહસૂરિએ પ્રાયઃ સર્વ તીર્થોની યાત્રા કરેલી અને તે આધારે ૧૧૧ પ્રાકૃત ગાથામાં અષ્ટોત્તરી તીર્થમાલાની રચના કરી. આ તીર્થમાલા પ્રાચીન તીર્થોને ઇતિહાસ માટે પણ ઉપયોગી થાય એમ છે. આ કૃતિનો પાઠ અંચલગચ્છની મેટી સામાયિકમાં કરવામાં આવે છે. સૌ પ્રથમ બેવટ્ટણનગરમાં જ તેમણે સૌ પ્રથમ સામાયિકમાં તેને પાઠ કહ્યો. વિ. સં. ૧૨૮૭ પછી તેની રચના થઈ છે એમ આબૂતીર્થના વર્ણન સંબંધમાં વસ્તુપાલ-તેજપાલ દ્વારા નિર્મિત જિનભવનના નિદેશ દ્વારા પ્રમાણિત થાય છે. મહેન્દ્રસિંહસૂરિએ અત્તરી પર ૩૦૦૦ ક–પરિમાણની પ્રાકૃતમાં વૃત્તિ પણ રચી છે. જયશેખરસૂરિએ પણ તે પર વૃત્તિ રચી છે. મહેન્દ્રસિંહસૂરિએ પિતાની ટીકામાં જૈનતીર્થોની ઉત્પત્તિ, તેનાં મહાભ્ય આદિનું સપ્રમાણ વર્ણન કર્યું છે, જે તીર્થ–સાહિત્ય માટે અત્યંત ઉપયોગી છે. મહેન્દ્રસિંહસૂરિ કૃત “વિચાર સપ્તતિકા” ઉપર તપાગચ્છીય વિજયદેવસૂરિના શિષ્ય વિનયકુશલે વિ. સં. ૧૯૧૫ માં વૃત્તિ રચેલ છે. મહેન્દ્રપ્રભસૂરિ તથા ધર્માનંદ ઉપાધ્યાયે પણ એવી જ રીતે અવસૂરિઓ રચેલ છે. તેની અજ્ઞાત કZક ટીકા પણ પ્રાપ્ત થાય છે. આ બધી ટીકાઓ દ્વારા ચરિત્રનાયકના મૂળ ગ્રન્થની મહત્તા સહેજે સમજી શકાશે. મહેન્દ્રસિંહસૂરિએ પિતાના ગુરુ ધર્મઘોષસૂરિના કહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy