SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મહેન્દ્રસિંહ ૧ પ્રભુનું જે તીથને આગમકલા-મુખ” બિરુદધારક ચંદ્ર નામના રાજાને પ્રતિબંધ આપ્યું હતું અને પિતાના વાણી–પ્રભાવથી અનેકના ગર્વનું ખંડન કર્યું હતું. પૃથ્વીચંદ્ર રાજા કેણ હતો ? ક્યાં હતો ? ઈત્યાદિ વિશે કશો જ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. રેહડ ગામના કટારિયા ગોત્રીય શ્રીકરણના પુત્ર વીરજીએ વિ. સં. ૧૨૯૬ માં રત્નપુરમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ પ્રભુનું જિનમંદિર બંધાવ્યું, શ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાવ્યો તથા ધર્મકાર્યોમાં સર્વે મળીને સાત લાખ પીરેજી ખરચી. વિ. સં. ૧૨૮૨ માં થયેલા વીજલોત્રીય વચ્છરાજ, વિજય તથા જાદવ નામના અંચલગચ્છીય શ્રાવકોએ અડધો લાખ મુદ્રિકાએ ખરચીને શ્રી શત્રુંજયની યાત્રા કરી અને સંઘવીપદ મેળવેલું. દુષ્કાળ પ્રસંગે તેણે દાનશાળાઓ કરાવીને અનેકને જીવનદાન આપેલું આ વંશમાં થયેલા ધારા તથા ધનરાજ નામના શ્રેષ્ઠીવર્યોએ કાકરેચી નગરમાં એક લાખ મુદ્રિકાને ખરચે શ્રી ઋષભદેવ પ્રભુને પ્રાસાદ કરાવ્યું. તેણે વાવ કરાવેલી અને દાનશાળા સ્થાપીને ઘણું ધન ખરચ્યું. વિ. સં. ૧૨૯૫ માં ગૌતમગોત્રીય રીડા શાહે શંખેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવીને ઘણું ધન ખરચેલું. અંચલગચ્છના પ્રથમ શ્રાવક યશોધન ભણશાલીના રીડા શાહ વંશજ હતા. રીડા શાહના વંશજો શંખેશ્વરથી માંડલમાં જઈને વસ્યા ત્યાંના રાજાએ યશોધન ભણશાલીના વંશજ નાયકને વિ. સં. ૧૩૭૫ માં મંત્રીપદે સ્થાપેલે. પ્રાગ્વાટ જ્ઞાતીય, પારાયણ ગાત્રીય શ્રેષ્ઠી દ્રોણ નામના અંચલગચ્છીય શ્રાવકે વાસણ નામના ગામમાં વિ. સં. ૧૨૮૫ માં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા ભરાવીને તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy