SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેન્દ્રસિંહસૂરિ દેવપ્રસાદ જે અમને બાળક આપી દે તે ઠીક થાય એમ વિચારીને એક દિવસે ગુરૂએ તે રૂણાક શ્રેણીને તે હકીકત કહી. રૂણક શ્રેષ્ઠીએ કહ્યું કે –“સ્વામી ધીમે ધીમે દ્રવ્ય આદિ વડે તે બ્રાહ્મણને લાલચમાં નાખીને જરૂર આપનું આ કાર્ય હું કરી આપીશ.” કેટલાક દિવસો બાદ રૂણાક શ્રેષ્ઠીએ દેવપ્રસાદને કહ્યું કે “તમારા બાલપુત્રને ગુરુને સેંપી દે. તેને બદલામાં હું તમને પાંચસો સોનામહોર આપીશ” હવે પાંચસે સોનામહારનું નામ સાંભળતાં જ લેભરૂપી સમુદ્રમાં ડૂબેલે તે દેવપ્રસાદ કહેવા લાગ્યો કે “હે શેઠજી! આ સંબંધમાં મારી સ્ત્રીને પૂછીને હું આપને ઉત્તર આપીશ. કેટલું હાસ્યાસ્પદ વર્ણન છે! એમના જીવનમાં દુષ્કાળ સંબંધક બીજે પણ એક મહત્ત્વનો પ્રસંગ ઉક્ત પટ્ટાવલીમાં મારી મચકડીને બેસાડી દેવામાં આવ્યા છે તે વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. - મહેન્દ્રકુમારને સાથે લઈને ધર્મઘોષસૂરિ સરનગરથી અન્યત્ર વિહાર કરી ગયા. વિનયાદિ ગુણસમૂહથી શોભતો બાળક આચાર્યને પ્રીતિપાત્ર બન્યા નવ વર્ષને થતાં ગુરુએ તેને વિ. સં. ૧૨૩૭ માં દીક્ષા આપીને તેનું મહેન્દ્રમુનિ એવું નામ રાખ્યું. દીક્ષા–સ્થળ તરીકે ખંભાતનું નામ મળે છે. એ પછી નવેદિત મુનિએ શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. જૈન આગમના અધ્યયનમાં એમણે વિશેષ દિલચસ્પી લીધી. તેઓ કુશાગ્ર બુદ્ધિના હેઈને થોડાં વર્ષોમાં જ તેઓ અનેક શાના પારગામી થયા. પદાવલીમાં જણાવાયું છે કે વિ. સં. ૧૨૫૭ માં ધર્મ ઘોષસૂરિએ મહેમુનિને ઉપાધ્યાયપદે વિભૂષિત કર્યા, એટલું જ નહિ પરંતુ એમને યોગ્ય જાણુને પિતાથી ભિન્ન વિહરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy