SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મઘોષસૂરિ ઉપદેશ આપ્યું અને માનવ–ભવનું મહામ્ય સૌને સમજાવ્યું. તેમની વાણી સાંભળીને લોકો ઘણા પ્રભાવિત થયા. ધર્મઘોષ સૂરિની પ્રેરણાથી આવા અનિષ્ટથી દૂર રહેવાનું સૌએ કબૂલ્યું. ત્યાને અગ્રણી દિનકર ભટ્ટ તે આચાર્યને પરમ ભક્ત બની ગયે. તેને જૈન ધર્મને ઉપદેશ એ હેઈન તેણે સ્વેચ્છાએ તે ધર્મ અંગીકાર કર્યો. કહેવાય છે કે ત્યાંના લેકેએ ધર્મષસૂરિને કઈ ચમત્કાર દેખાડવાનો આગ્રહ કરે. ચમત્કારના પ્રભાવથી જ આવા ભયંકર અનિષ્ટને નિર્મૂળ કરી શકાય એમ હતું. આથી સૂરિ ચમત્કાર દેખાડવા કબૂલ થયા. તેમણે ૧૦૮ કામળીઓ મંગાવી અને તેને ઉપરાઉપર ગોઠવીને તેની ઉપર તેઓ પદ્માસને બિરાજ્યા. નવકારાવલીને તેઓ એક એક મણકે ફેરવતા જાય તેમ તેમ તેમના આસન નીચેથી એક એક કામળી કાઢી લેવામાં આવી. નવકારાવલીના ૧૦૮ મણકા પૂરા થતાં બધી કામળીએ ખેંચી લેવાઈ છતાં ગુરુ તે ઊર્ધ્વ સ્થિતિમાં પૂર્વવત્ રહ્યા. આ દશ્ય જોઈને લેકે ભારે પ્રભાવિત થયા. ધર્મઘોષસૂરિને જયઘોષ પ્રકટ્યો ત્યારથી કરવતને ગંગાનદીમાં પધરાવી દેવામાં આવી. એ પછી કરવત મૂકાવવાની અનિષ્ટ પ્રથા સદંતર નાબૂદ થઈ ગઈ. આવા કુરિવાજને નિર્મૂળ કરાવવાનું શ્રેય ચરિત્રનાયકને જાય છે. એ સમયમાં બીજા પણ અનેક મહાપુરુષોએ આ પ્રથા સામે પિતાનો પુણ્ય પ્રકોપ ઠાલવેલ. મેલ કરવત મોચીને મોચી” એવી પ્રસિદ્ધ કહેવત ઉક્ત પ્રથાનું આજે સ્મરણ કરાવે છે એટલું જ. એ પછી આ પ્રથા સદાને માટે ભૂંસાઈ ગઈ દિનકર ભટ્ટ અને તેના અનુયાયીઓએ જૈનધર્મ સ્વીકારતાં તેમની જ્ઞાતિએ તેમને સામાજિક બહિષ્કાર કર્યો. લગ્નાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy