SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] જ્ઞાતિ-શિરોમણિ અનાજ, કરી આણું વગેરેનું સ્થાન રહેતું. શેઠે એના વ્યાપારમાં પણ ઝંપલાવેલું. ઠેઠ મલબાર સુધી એ માટે વહાણેની બે પે થતી, એટલે શેઠે વહાણ પણ ખરીદેલાં જેમાંના એક વહાણનો ઉલ્લેખ “બારકસ” તરીકે દસ્તાવેજમાંથી મળી આવે છે. જમીનમાગે પિકો દ્વારા માલની હેરફેર થતી. વાહન-વ્યવહારની ઝડપી સગવડતાના અભાવે લૂંટાવાને ભય સવિશેષ રહેતા. મહિનાઓના મહિના માલ-વહનમાં પ્રસાર થતા હેઈને માલ નિયત સ્થળે ન પહોંચે ત્યાં સુધી વેપારીઓનાં મન ઊંચા જ રહેતા. જમીન માગે પીંઢારાઓ અને દરિયા માર્ગે ચાંચીઆએ માલને લુટી લેતા. મુંબઈના બાહાર” નામક પુસ્તક અનુસાર શેઠને ચીન સાથે પણ વ્યાપાર હતો. હોરમસજીના પુત્ર દાદાભાઈ તથા મનચેરજીને શરૂઆતનાં કામકાજમાં શેઠે ઘણે સહગ આપ્યો હતો. હોરમસજી પારસી કેદમના અગ્રેસર લેખાતા. ચીની ભાષાના તેઓ “પહાવા” ( દુભાષિયા) કહેવાતા તથા શેચી” (ગુમાસ્તા) તરીકે ઓળખાતા. પછી તો તેમણે સીંગાપોર, કલકત્તા, મુંબઈ અને ઠેઠ લંબમાં સ્વતંત્ર પેઢીઓ શરૂ કરેલી. તેમના પુત્રો સાથે દાદાભાઈ નવરોજી જેવા વરિષ્ટ રાષ્ટ્રિય નેતાએ પણ ભાગીદારી કરેલી. દશા ઓસવાળ જૈન જ્ઞાતિની સંખ્યા એ વખતે છએક હજારની ગણાતી. તેમાંથી છ જેટલા લેક શેઠની પ્રેરણાથી મુંબઈ આવેલા. શેઠે એમને બધી રીતે આશ્રય આપ્યું. રોગચાળા વખતે એમના માટે દવાદારૂની સગવડ તેઓ કરી આપતા. અક્ષરજ્ઞાન માટે શેઠે ગુજરાતી શાળા પણ સ્થાપેલી. કરછથી મુંબઈ આવનાર પ્રત્યેક જ્ઞાતિબંધુને વ્યક્તિગત પરિચય તેઓ મેળવતા અને તેને જરૂરી સહાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy