SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયસિંહસૂરિ કરનાર જ્યસિંહસૂરિ સૌ પ્રથમ આચાર્ય હતા એ બાબત ખાસ ઉલ્લેખનીય છે. ચરિત્રનાયકને લક્ષ ક્ષત્રિય પ્રતિબોધક તરીકે જૈન ઈતિહાસમાં ચિર કીર્તિ પ્રાપ્ત થઈ હાઈને એ વિષયક કેટલાક પ્રસંગે પણ અહીં પ્રસ્તુત છે. ક્ષત્રિએ જૈનાચાર્યોના ઉપદેશથી પ્રતિબધ પામીને જૈનધર્મ સ્વીકારેલો અને તેમને ઓશવાળ જ્ઞાતિમાં સમ્મિલિત કરવામાં આવેલા. ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં છઠ્ઠા પટ્ટધર રત્નપ્રભસૂરિએ એશનગરમાં લા ક્ષત્રિયોને જૈનધર્મ કર્યા એ ઐતિહાસિક ઘટના પછી આ પ્રક્રિયા પૂર્ણ વેગે ચાલુ રહેલી. ઠેઠ વિકમના ૧૬ મા સૈકા સુધી. વિ. સં. ૧૨૦૮ માં જયસિંહસૂરિ વિહરતા હસ્તિતુંડમાં પધાર્યા. ત્યાંના રાજા અનંતસિંહ રાઠોડે સૂરિનો ઉપદેશ સાંભળીને જૈનધર્મને સ્વીકાર કર્યો. કહેવાય છે કે રાજા જદરના અસાધ્ય રોગથી પીડાતા હતા. સૂરિના પ્રભાવથી તેને રોગ દૂર થયેલું. રાજા અનંતસિહે શત્રુંજયની યાત્રા કરી, હસ્તિતુંડમાં શ્રી વીરપ્રભુનો પ્રાસાદ બંધાવ્યું. તેના વંશજો ઓસવાળ જ્ઞાતિમાં ભળીને હથુડિયા રાઠોડ ગાત્રથી એાળખાયા. અનંતસિંહના આગ્રહથી એ વર્ષે સૂરિ ત્યાં ચાતુર્માસ રહેલા. રાજસ્થાન અંતર્ગત કોટડામાં યદુવંશી સોમચંદ રાજ્ય કરતો હતો. તેની પાસે ૫૦૦૦ સુભટોનું સૈન્ય હતું તેની મદદથી તે આસપાસ લૂટફાટ કરતો. એ અરસામાં જયસિંહ સૂરિ ૫૦૦ શિષ્યો સહિત ઉમરકોટથી જેસલમેર વિહાર કરતા હતા. માર્ગમાં સેમચંદ તેમને સામે મળે. તેણે જે કાંઈ મિક્ત હોય તે સેંપી દેવાને પડકાર ફેંક્યો. જયસિંહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy