SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ચેરીવાળા જિનાલયના નિર્માતા જલદધ ફેંક જિહાજ દેશ-પરદેશ જાવે; ચીજ વિલતી ચાર લાખ ભર ભર કર લાવે. કવિ ઉક્ત ગ્રન્થમાં “વર્ધમાન શાહ દેશહ દીવાન” વિશે એ પછી ઉલ્લેખ કરે છે. કવિ હર્ષસાગરકૃત રાજસી શાહ રાસમાં નાગડાગેત્રના આદ્ય-પુરુષથી માંડીને ઠેઠ ચરિત્રનાયક સુધીની વંશાવલી આપી છે. રાજા મેહસિંહને પુત્ર ઉદિલ્લ, જેને ભટ્ટગ્રંથમાં ઉદેસી કહેવાય છે, તે ઘણે દયાવાન હતું. તેનો પુત્ર જાલ્લા, તેને સધીર, તેને સૂટા થયે, જે સિંહ જેવો બળવાન હતે. તેનો પુત્ર સમરથ બધી કળાને જાણકાર હતા. તેને પુત્ર નરસંગ રાજમાન્ય પુરુષ હતો. રાજાઓ અને રાણાઓમાં તેની ખ્યાતિ હતી. તેને સક અને તેને વીરપાલ નામે પુત્ર થયે, જે દરિયાવ દિલને હતે. તેને કંધેધર અને તેને હીરપાલ પુત્ર થયે જે પુણ્યાત્મા હતા. તેને પુત્ર ભેજ રાજા ભોજ જે દાનવીર હતે. દુઃખી અને દરિદ્ર લેકને તેણે અનેક પ્રકારે સહાય કરેલી. કવિ મેઘમુનિએ પણ રાજસી રાસ રચે છે. તેમાં તેઓ વર્ણવે છે કે મહાજનેમાં “પુણ્યવંત અને શ્રીમંત” એવા ભેજા શાહ નાગડાગેત્રીય હોવા છતાં મૂળ પારકર-નિવાસી હોવાને કારણે પારકરા કહેવાતા હતા. રાસમાં એમનું કુટુંબ કચ્છમાં વસેલું એ વિશે ઉલ્લેખ નથી, પરંતુ અન્ય પ્રમાણમાં છે, રાસકાર વર્ણવે છે કે જામસાહેબે ભેજા શાહને નવાનગરમાં આગ્રહપૂર્વક તેડાવ્યા અને તેમને સત્કૃત કર્યા. ઉક્ત રાસમાં જામનગરને નવાનગર, નવ્યનગર, નાગનગર, નૌતનપુર વગેરે નામોથી ઉલ્લેખ છે. જામનગરને વ્યાપારનું કેન્દ્ર જાણીને ભેજ શાહે ત્યાં પોતાની પેઢી શરૂ કરી. જામShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy