SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ લોઢા કુંરપાલ અને સોનપાલ [ ૧૫ લેખમાં જહાંગીરનું નામ છે એ પણ સૂચક છે. આગરાથી તે અમદાવાદમાં શા માટે વચ્ચે એ પણ પ્રશ્ન છે. એ વખતે એમનું કુટુંબ કઈ રાજ્યકાર્ય અંગે ત્યાં વસ્યું હોય એમ સંગતપ્રતીત થાય છે. પદાવલીનો એક પ્રસંગ વર્ણવવે પણ આ સંદર્ભમાં રસપ્રદ થશે. કુંરપાલ અને સેનપાલે આગરામાં છે જિનાલયે બંધાવ્યાં, તેથી વિધર્મીઓને ઈર્ષા જાગેલી. બીજાને ચઢાવવાથી જહાંગીરે બન્ને ભાઈઓને કહ્યું કે–“તમારે દેવ જે દસ દિવસમાં મને ચમત્કાર નહિ દેખાડે તે હું અને મંદિરોને તેડી પડાવીશ!” પટ્ટાવલીમાં વર્ણન છે કે કલ્યાણસાગરસૂરિના સૂચનથી સમ્રાટે સ્વયં જિનાલયમાં આવીને મૂર્તિને નમસ્કાર કરતાં પ્રતિમાને એક હાથ ઊંચે થયે અને ઉચ્ચ સ્વરે “ધર્મ લાભ” એ શબ્દો સંભળાયા. આથી જહાંગીર ઘણે ચમત્કૃત થયો. તેણે દસ હજાર સુવર્ણ મુદ્રિકા સૂરિને પાઠવી. વર્તમાન–પસિંહ શ્રેષ્ઠી ચરિત્ર” તથા “કલ્યાણ સાગરસૂરિને રાસ”માં પણ લગભગ આવું જ વર્ણન છે. તેમાં જણાવાયું છે કે સમ્રાટ ચમત્કૃત થઈને સૂરિને પગે પડ્યો અને ઉગારી ઊઠ્યો કે–“આ દેવ જ સાચા છે, આ દેવજ સાચા છે!!” અનુકૃતિમાં જહાંગીરના ગુસ્સાનું બીજુ કારણ આપ્યું છે. તેને કહેવામાં આવ્યું કે –“સેવઓને મૂર્તિમાં બનવાઈ હૈ ઔર હજૂર કે નામકે અપને બુત કે પૈર કે નિચે લિખા દિયા હૈ!” આ સાંભળીને સમ્રાટના ગુસ્સાને પાર ન રહ્યો. તેના ગુસ્સાને શાંત પાડવા બધી મૂર્તિઓના મસ્તક ભાગમાં “શાહ શ્રી જહાંગીર વિજ્ય રાજ્યએવા શબ્દો કેતરાવી દેવમાં આવ્યા. આ બધી આખ્યાયિકાઓમાં કેટલું સત્ય હશે એ તે કોણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy