SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] જહાંગીર બાદશાહના અમાત્ય હોવા છતાં મેગલ તવારીખમાં એમના વિશે ઉલ્લેખ કેમ નથી? આ એક કેયડે છે. ઇતિહાસ તેને ખુલાસે બીજી રીતે કરે છે. તેમના મતાનુસાર કુંવરદાસ અને સુંદરદાસ, જેમના વિશે મોગલ તવારીખમાં ઘણું ઘણું કહેવાયું છે, તેઓ જ કદાચ ક્રપાલ અને સોનપાલ હેય કુંવરદાસ અને સુંદરદાસ નામના બે ભાઈઓનાં પરાક્રમોનું વર્ણન ચરિત્રનાયકેને બંધ બેસતું આવે છે. એમનાં નામમાં મળતાપણું તે છે જ. કુંવરે અને સુંદરે જહાંગીરના રાજ્યકાળમાં કેટલોક વખત ઉપરી અધિકાર ભેગવ્યા છે. શિલા-પ્રશસ્તિ ચરિત્રનાયકને અમાત્ય કહે છે, અને ઉક્ત હિન્દી કાવ્ય તેથી પણ વધુ રાજા જેવું વર્ણન કરે છે. જહાંગીરના રાજ્યને હેવાલ જોતાં ઉક્ત કુંવર અને સુંદર સિવાય આવા પરાક્રમી બીજા ભાઈઓ જણતા નથી. એટલે રાજકીય તવારીખમાં કહેવાયેલા કુંવરદાસ અને સુંદરદાસ, કુરપાલ અને સોનપાલ હેય. આ બાબતની સપ્રમાણુ ચર્ચા માટે જુઓઃ “ગુજરદેશાધ્યક્ષ સુંદરદાસ–રાજા વિક્રમાજીત કેણ હતો?” સેનપાલને પુત્ર રૂપચંદ વિ. સં. ૧૬૭૨ ના વૈશાખ શુદિ ૩ ને ગુરુવારે અમદાવાદમાં મૃત્યુ પામ્યાતેની પાછળ તેની ત્રણે પત્નીઓ નામે રૂપશ્રી, કામા અને કેસર સતી થયેલી. એમને કલાત્મક પાળિયે પણ ઉપલબ્ધ થાય છે. ચેરસ આરસના પાળિયાને ફરતે હાંસિયે રાખવામાં આવ્યો છે. તેમાં લેખ કોતરવામાં આવ્યા છે. વચ્ચેની ડાબી બાજુએ ઘોડે સવારની તથા જમણી બાજુએ તેની ત્રણે પત્નીની મૂર્તિઓ છે. મથાળે સૂર્ય અને ચંદ્ર મૂક્યા છે. અશ્વારૂઢ મૂર્તિના સાજ પરથી રૂપચંદ લડવૈયે હોય એવું લાગે છે. મહા પરાક્રમી સેનપાલ એ જ જે સુંદરદાસ હેય તો તેને પુત્ર રૂપચંદ પણ એ જ હેય એમાં નવાઈ શું? પાળિયાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy