SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ હતો અને કામવાસની ઉ મર લોઢા કુંરપાલ અને સેનપાલ [ ૧૩ | કુરપાલ અને સેનપાલે આગરામાં બે જિનાલયે બંધાવ્યાં હતાં તેમાં શ્રી મહાવીરસ્વામી અને શ્રી શ્રેયાંસનાથ પ્રભુના જિનબિંબને મૂલનાયક તરીકે સ્થાપવામાં આવ્યાં. એ વખતે બેઉ ભાઈઓએ સ્વામીવાત્સલ્યાદિમાં ઘણું ધન ખરચ્યું. યાચકેને છૂટે હાથે દાન આપ્યું. એમની ઉદારતાને એકજ દાખલ ટાંકો અહીં પર્યાપ્ત થશે. એમણે મૂર્તિઓના લેખમાં પિતાના કુટુંબીઓનાં નામે તે લખાવ્યાં જ છે, કિન્તુ પિતાના નોકર હરદાસને પણ તેઓ એ પ્રસંગે ભૂલ્યા નથી. પિતાના નેકર હરદાસના પુણ્યાર્થે તેમણે બિંબપ્રતિષ્ઠા કરાવી ! - ઉક્ત બેઉ જિનાલયે પૈકી શ્રી શ્રેયાંસનાથ જિનાલયની શિલા-પ્રશસ્તિ ઉપલબ્ધ થાય છે તેમાં ચરિત્રનાયકના વંશવૃક્ષ સંબંધમાં વિગતવાર નેંધ, તેમ જ તેમનાં કાર્યોને ઉલ્લેખ છે. ઋષભદાસને તેમાં “રાજમાન્ય” કહ્યા છે. કુરપાલ અને સોનપાલને તેમાં “જહાંગીર ભૂપાલ–અમા” તરીકે ઉલ્લેખ છે, જે મહત્ત્વપૂર્ણ છે. જહાંગીરની આજ્ઞા મેળવીને બન્ને ભાઈએ ધર્મકાર્યો કરતા હતા એમ પણ પ્રશસ્તિમાં કહેવાયું છે. શિલા-પ્રશસ્તિમાં બેઉ ભાઈઓને વસ્તુ પાલની ઉપમાને લાયક કહ્યા છે. આ બધા ઉલલેખે એમની રાજકીય કારકિર્દી પર પણ આડકતરે પ્રકાશ પાડે છે. કેરપાલ સોનપાલ લોઢા ગુણ-પ્રશંસા” નામક હિન્દી પદ્યકૃતિમાં બેઉ બાંધવાની કારકિદી પર સુંદર પ્રકાશ પાડવામાં આવ્યું છે. એમની રાજકીય કારકિર્દી ચરમ સિમાએ હશે ત્યારે એ કાવ્ય રચાયું હશે એમ તેનાં વર્ણન પરથી લાગે છે. તેમાં સોનપાલનાં બિરૂદ આ પ્રમાણે છેઃ “મંત્રીરાય.” રાઈન મુકુટમણિ,” “હિન્દુ સુરતાણ,” “ખિતિપતિરાય ખંભ.” કુરપાલ અને સેનપાલના આવા પ્રશસ્ત ઉલ્લેખો મળતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy