SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ લોઢા કુંરપાલ અને સેનપાલ [ ૩ કરેલી. વિ. સં. ૧૯૧૭ માં બેઉ બાંધવોએ આગ્રહ કરીને ધર્મમૂર્તિસૂરિનું ચાતુર્માસ આગરામાં કરાવેલું. સૂરિના ઉપદેશથી તેમણે બે હજાર માણસના સંઘ સહિત સમેતશિખરજીની યાત્રા કરેલી, અને સંઘવીપદ પ્રાપ્ત કરેલું. ઋષભદાસના પુત્ર ક્રપાલ અને સોનપાલ પણ ઘણા જ પ્રતાપી હતા. એમના વિશે ઉત્કીર્ણિત તેમ જ હસ્તલિખિત અનેક પ્રમાણે ઉપલબ્ધ થાય છે. કુરપાલની અમૃતદે, સુવર્ણશ્રી અને સુલતાશ્રી એમ ત્રણ પત્નીઓ થઈ. એનપાલની કાશ્મીરાદે અને દુર્ગશ્રી નામની બે પત્નીઓ થઈ. કુંરપાલના ત્રણ પુત્રો અને બે પુત્રીઓ થયાં. એમના પુત્રોનાં નામ છે (૧) સંઘરાજ (૨) દુર્ગાદાસ (ભાર્યાઃ શિલા, નકા અને રથા) (૩) ધનપાલ. સોનપાલના પણ ત્રણ પુત્ર આ પ્રમાણે થયા(૧) રૂપચંદ્ર (ભાર્યા રૂપશ્રી, કામા અને કેશર), (૨) ચતુભૂજ અને (૩) તુલસીદાસ. એમની બે પુત્રીઓમાં એકનું નામ જાદ હતું, જેને જ્યેષ્ઠમલ નામને પુત્ર હતા. એમના પરિવારની વિશેષ વિગતે માટે જુઓઃ “અંચલગચ્છ-દિગ્દર્શન.” પટ્ટાવલીમાં કુરપાલ અને સેનપાલની ધાર્મિક કારકિર્દી સંબંધમાં લંબાણથી વિવરણ છે. એમના આગ્રહથી ધર્મ મૂર્તિસૂરિ વિ. સં. ૧૬૨૮ માં પુનઃ આગરામાં પધારેલા અને ચાતુર્માસ રહેલા. સૂરિના ઉપદેશથી એમણે ત્યાં અંચલગચ્છીય શ્રમ માટે વિશાળ ઉપાશ્રય બંધાવ્યું, જેના બે મજલા હતા. વળી તેમણે આગરામાં બે ભવ્ય જિનપ્રાસાદો બંધાવવાનો શુભ આરંભ પણ કર્યો. વિ. સં. ૧૬૫૭ માં તેમણે શ્રી શત્રુંજયને વિશાળ સંઘ કાઢેલ અને અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. વિ. સં. ૧૬૬૫ માં બેઉ બાંધવાની વિનંતીથી ધર્મShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy