SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયસિંહસૂરિ દિવસો સુધી ચાલ્યો. અંતે ચરિત્રનાયક જીત્યા. શરત મુજબ છત્રસેન ભટ્ટારિક જયસિંહસૂરિના શિષ્ય થયા. તેમના અનુચાવીઓએ પણ વેતાંબર સંપ્રદાયનો સ્વીકાર કર્યો. તેમના ઇષ્ટદેવ-દેવતાઓની પ્રતિમાઓને પણ કણદોરો કરાવીને વેતાંબર પરંપરાની કરી. તેમાંની શ્રી નેમિનાથ, શ્રી આદિનાથ અને શ્રી પદ્માવતી દેવીની પ્રતિમાઓ અનુકમે પાટણની ત્રિરી પોળ, રાજનગરમાં ઇલમપુર, તેમ જ જમાલપુરમાં છે એવા જૂના ઉલ્લેખ મળે છે. છત્રસેનનું નામ છત્રહર્ષ રાખવામાં આવ્યું. એમનાથી તેમને શિષ્ય પરિવાર અંચલગચ્છમાં હર્ષ શાખાથી પ્રસિદ્ધ થયો. તેમના દિગંબરી શિષ્યએ પણ તેમની સાથે અંચલગચ્છીય સામાચારીનો સ્વીકાર કર્યો, અને તેમને સૌને હર્ષ શાખામાં દીક્ષિત કરવામાં આવ્યા. એ સમયમાં મુસલમાનના અનિયંત્રિત હમલાઓએ ભારતવર્ષમાં ત્રાસનું સામ્રાજ્ય ફેલાવી દીધેલું. વિધમી હુમલાઓથી પિતાની સંસ્કૃતિનું રક્ષણ કરવાની કઠિન જવાબદારી ભારતવાસીઓએ બજાવવાની હતી. આવા સમયમાં જેનોએ પણ પોતાની ફરજે દઢતાથી નિભાવી હતી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એવા વિચારના હતા કે વેતાંબર સંપ્રદાયની એકતા સુદઢ કરવા માટે બધાજ ગાએ સમાન સામાચારી અનુસરવી. જેથી જુદાઈની ભાવના પણ ના રહે. તેમણે વાહકગણિ દ્વારા જયસિંહસૂરિને સૂચવ્યું કે દેણપતટથી સંઘ એકત્રિત કરીને સૌ સમાન સામાચારી સ્વીકાર વાની પહેલ કરે. ચરિત્રનાયક સંમત થયા પરંતુ કેટલાક વિદ્મસંતોષીઓએ આ પ્રસ્તાવને હાની પહોંચાડી. સમાન સામાચારીના વિચારને તોડી પાડવા પક્ષાપક્ષીનું ઉગ્ર વાતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy