SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ મિઠડીઆ મેઘા શાહ ક્ષત્રિએ જૈનધર્મ અંગીકાર કરીને ઓસવાળ–વંશમાં પ્રવેશ મેળવ્યું હતું એ પછી પણ આ પ્રકિયા વિકમની ૧૫ મી શતાબ્દી સુધી ઠેઠ ચાલતી રહી. આ રીતે એસવાળની આદિ ભૂમિ મરુભૂમિ બની. એસવાળની સંખ્યા વધતાં મારવાડના નિકટવર્તિ પ્રદેશમાં પણ એસવાળે ફેલાયા. જૈનધર્માનુયાયી ક્ષત્રિયેને એસ, પારકર, પાલી ઉપરાંત સાચેર, જાલેર, જેસલમેર, ઈડર, જોધપુર, ગેલવાડ, થલી, મેવાડ ઈત્યાદિમાં પ્રભાવ વધતો ચાલે. પારકર-પ્રદેશમાં તેમનું બાહુલ્ય સવિશેષ હતું. પારકરમાંથી તેઓ સિંધમાં મોટી સંખ્યામાં પ્રવેશ્યા. આ હિલચાલનું નોંધનીય પરિણામ એ આવ્યું કે પારકર એ પછી સિંધને પ્રદેશ ગણાવા લાગ્યો. એ પહેલાં તે મારવાડને પશ્ચિમ વિભાગ ગણાતા હતા. વિક્રમના ૧૫ માં સૈકામાં પારકર ઘણે ગીચ વસ્તીવાળો પ્રદેશ ગણાતે હતો. આજે તો પરિસ્થિતિ જુદી જ છે, ભારતના નકશામાંથી પણ તે નીકળી ગયું છે. પરંતુ એ કાળે ઓસવાળ જેનોના વર્ચસ્વવાળે એ પ્રદેશ હતું, એમાં ચૌદ ચેઢી હતી. એક ચેઢીમાં ૫૬૦ ગામે ગણાય, એટલે પારકર ૭૮૪૦ ગામે ધરાવતા પ્રદેશ હતો. ભૌગોલિક રીતે તેને વિસ્તાર આ પ્રમાણે હતઃ દક્ષિણે ભૂજ ૫૦ ગાઉ દૂર હતું, તેમાં ૪૦ ગાઉની હદ પારકરની હતી. રાણીગામ એ કાળે પારકરનું હતું. ઉમરકોટ ૮૦ ગાઉ દૂર હતું, તેમાં ૫૦ ગાઉની સિમા પારકરની હતી. ચૌહાણનું સૂરાચંદ રાજ્ય ૪૨ ગાઉ દૂર હતું, તેમાં ૩૦ ગાઉ પારકરની ભૂમિ હતી. છોટણ ૬૦ ગાઉ દૂર હતું, તેમાં ૬૦ ગાઉને પ્રદેશ તે પારકરનો હતો. દક્ષિણ તરફ ચૌહાણનું બાવસુઈ ૫૦ ગાઉ છેટે હતું, તેમાં ૨૭ ગાઉની હદ પારકરની હતી. પ્રાયઃ વિક્રમના ૧૬ મા શતકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com એટલે જાણે હતાશ હ. જો
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy