SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ કર્યો. તેની ચોથી પેઢીમાં દેવાણંદ થયે. જેને અગિયાર પુત્રોને વિશાળ પરિવાર હતા. તેના નામ પરથી તેમને વંશ “દેવાણંદસખા” એ નામથી ઓસવાળ વંશમાં પ્રસિદ્ધ થયે. (૩) વિ. સં. ૧૨૬૫ માં સૂરિએ ઝાલેર નગરમાં ચૌહાણવંશના ભીમ નામના રાજપૂતને પ્રતિબંધ આપીને જૈનધર્માનુયાયી કર્યો. ભીમને ઝાલેરના રાજાએ ડેડ ગામને અધિકાર સેપેલે હોઈને તેને વંશ “ડેડીઆલેચા” એ નામે ઓસવાળ વંશમાં પ્રસિદ્ધ થયે. (૪) હરિયાવંશ–પ્રતિબોધ, જેને વૃત્તાન્ત ભટ્ટગ્રંથમાં, અંચલગચ્છની પટ્ટાવલીમાં, તેમ જ “હરીઆવંશ પ્રશંસા રાસ” માં વિસ્તારથી છે. ઉક્ત પ્રમાણ–ગ્રન્થોમાં પ્રાયઃ એક બીજાને મળતી બાબત છે, જેને સંક્ષિપ્ત સાર નિમ્નત છે. વિ. સં. ૧૨૬૬ માં ધર્મઘોષસૂરિ ઝાલેરથી વિહાર કરીને ભાલાણીપુરમાં પધાર્યા. પટ્ટાવલીમાં, તેમ જ ભટ્ટગ્રન્થોમાં આ નગરને લાખણ-ભાલાણું એવું નામ આપ્યું છે. “હરીઆવંશ પ્રશંસા રાસ”માં જણાવાયું છે કે છત્રીસ રાજકુલેમાં પરમાર વંશ પ્રસિદ્ધ છે. આ વંશમાં દધિચંદ્ર રાજવી થયે તેને પુત્ર મણિચંદ્ર થયા. તેમને પુત્ર રણમલ કુળદીપક હતા. રણમલને પુત્ર હરિયે થયો. તે બહુ દયાળુ હતા. વિ. સં. ૧૨૬૯ માં ધર્મઘોષસૂરિએ હરિયાને પ્રતિબંધ આપીને તેને જૈનધર્માનુયાયી કર્યો. હરિયા શાહે ભાલાણપુરમાં શિખરબંધ જિનાલયનું નિર્માણ કર્યું. પટ્ટાવલીકાર હરિયાવંશ–પ્રતિબંધ સંબંધમાં એક ચમત્કારિક આખ્યાયિકા વર્ણવે છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે. લાખણ-ભાલાણીના તાલેલા પરમાર વંશીય ઠાકુર રણમલ ને હરિયા નામે પુત્ર હતું. તેના તાજેતરમાં લગ્ન થયાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy